March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ જિલ્લા કલેક્‍ટર અને સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાના હસ્‍તે સેલવાસ ખાતેની દત્તક ગ્રહણ સંસ્‍થામાંથી એક બાળકને અન્‍ય રાજ્‍યના માતા-પિતાને દત્તક અપાયું

સંસ્‍થા દ્વારા અત્‍યાર સુધી 13 જેટલા બાળકોના કરાયા છે દત્તક ગ્રહણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન મુજબ સંઘપ્રદેશમાં કોઈપણ માતા-પિતા દ્વારા સમર્પિત બાળક, ત્‍યાગ કરેલ બાળક અથવા કોઈપણ બિનવારસી બાળક કે જેના કોઈ વાલીવારસ ન હોય અનેએની ઉંમર 0 થી 6 વર્ષની હોય તેઓને દાદરા નગર હવેલી અને દમણ-દીવના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સેલવાસના ઝંડાચોક ખાતે આવેલ ‘વિશેષ દત્તક ગ્રહણ સંસ્‍થા'(Specialized Adoption Agency)માં રાખવામાં આવે છે અને તેઓની સાર-સંભાળ રાખવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી મુજબ 6 જુલાઈ, 2023ના ગુરૂવારે દાનહ જિલ્લા કલેક્‍ટર અને સમાજ કલ્‍યાણ સચિવ શ્રીમતી ભાનુ પ્રભા દ્વારા ‘એડોપ્‍શન રેગ્‍યુલેશન-2022′ મુજબ સંસ્‍થામાં એક આશ્રિત બાળકને અન્‍ય રાજ્‍યના નિવાસી માતા-પિતાને દત્તક આપવામાં આવ્‍યું હતું. આ આશ્રિત બાળકને દત્તક આપવા માટે કાયદાકીય રીતે મુક્‍ત કરાવવા (Legally free for Adoption) માટે આઈ.એ.એસ. કુ. હિમાની મીણાનો પણ મહત્‍વનો ફાળો રહ્યો હતો.
અત્રે યાદ રહે કે, સેલવાસ ખાતેની દત્તક ગ્રહણ સંસ્‍થામાંથી 13 જેટલા બાળકોનું દત્તક ગ્રહણ થયું છે. પરંતુ દત્તકવાંચ્‍છુ માતા-પિતાઓ જાણકારીના અભાવે વંચિત રહી જાય છે. તેથી જનતાને અનુરોધ છે કે બાળક દત્તક લેવા માટે Open Shelter Home (સેન્‍ટ્રલ એડોપ્‍શન રિસોર્સ ઓથોરીટી) પર ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે, કારણ જેના દ્વારા બાળકો દત્તક લેવા અને આપવા પારદર્શકતા અને સળરતા બની રહે અને માતા-પિતાએ બાળક દત્તક લેવા કે આપવા માટેનીરજીસ્‍ટ્રેશન પ્રક્રિયા હેતુ પ્રદેશ બહાર અન્‍ય રાજ્‍યમાં જવાની જરૂર પડશે નહીં.
જો કોઈ 18 વર્ષની ઉંમર સુધીના છોકરા-છોકરી ઘરેથી ભાગી ગયેલ હોય, ભીખ માંગતા બાળકો, ગુમ થયેલા બાળકો વગેરેના શિક્ષણ અને સારસંભાળ માટે ઓપન શેલ્‍ટર હોમ(ખુલ્લુ આશ્રય ગૃહ) પણ સેલવાસ ઝંડાચોક ખાતે કાર્યરત છે. તેથી બાળકોની સુરક્ષા માટે ઝંડાચોક સ્‍થિત કાર્યરત ઓપન શેલ્‍ટર હોમ સેન્‍ટર અથવા 1098 ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10ની પરીક્ષામાં સંઘપ્રદેશના 8207 અને ધોરણ 12ના 5705 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍વપ્‍નિલ ઓર્ગેનિક્‍સ કંપનીમાંથી થયેલ ગેસ લીકેજનો મામલો જી.પી.સી.બી. વડી કચેરીમાં પહોંચ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેજ ગામે રૂા. 1.02 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના મકાનનું લોકાર્પણ કરતા ધારાસભ્‍ય નરેશ પટેલ

vartmanpravah

નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ડામર પેચ વર્કની કામગીરી

vartmanpravah

સુદઢ વહીવટ, પારદર્શી વહીવટ, ઝડપી વહીવટ અને સુશાસનનો પર્યાય એટલે સ્વાગત કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમમાં હકીકતમાં પ્રજાની સમસ્યાનું સ્વાગત, ત્વરિત પ્રશ્નોનો ઉકેલ આવતા સુશાસનના દર્શન થયા

vartmanpravah

1975માં કોંગ્રેસે લાદેલી કટોકટીને 50 વર્ષ પૂર્ણ : દાનહ જિલ્લા ભાજપે વિરોધ પ્રદર્શન કરી તત્‍કાલિન કોંગ્રેસ સરકારનાનિર્ણયને વખોડયો

vartmanpravah

Leave a Comment