Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ સાયલી ગ્રામ પંચાયતમાં જિ.પં. પ્રમુખ અને સી.ઈ.ઓ.ની અધ્‍યક્ષતામાં ગરીબ આદિવાસી પરિવારોને આવાસ ફાળવણી અંગે બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13 : દાદરા નગર હવેલીના સાયલી ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી અને અને પ્રમુખશ્રીની અધ્‍યક્ષતામાં ‘પ્રધાનમંત્રી આવાસયોજના-ગ્રામીણ’ અંતર્ગત ગરીબ આદિવાસી પરિવારને પાકું મકાન મળે તટે માટેની પ્રક્રિયા સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો.અપૂર્વ શર્માએ લાભાર્થીઓને જણાવ્‍યું હતું કે, દરેક લાભાર્થીને પાકા મકાન માટે 2.40 લાખ રૂપિયા પાંચ હપ્તામાં સરકાર દ્વારા આપવામાં આવશે. ત્‍યારબાદ તમામે નિヘતિ સમય મર્યાદામા પોતાનું મકાન બનાવવાનું રહેશે.
ડો. અપૂર્વ શર્માએ લાભાર્થીઓને સૂચના આપી હતી કે હપ્તાની ચૂકવણી કરાયા બાદ દિવાળી બાદથી મકાન નિર્માણની કામગીરી કરવાની રહેશે. અત્રે સાયલી પંચાયતમાં 129 લાભાર્થીઓને આવાસનો લાભ મળશે. બેઠકમાં દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, ઉપ પ્રમુખ વંદનાબેન પટેલ, સરપંચ શ્રમતી કુંતાબેન, સેક્રેટરી શ્રીમતી પાર્વતીબેન તથા લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડીના ખેડુતો દ્વારા હાઈટેન્‍સન લાઈનનો વિરોધ

vartmanpravah

વાપીમાં પાણીનુ ઘમાસાણ : 15 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટ પાલિકાએ બંધ કરાવતા વેપારીઓનો પાલિકામાં મોરચો

vartmanpravah

દીવ બીજેપી સિનિયર નેતા શાંતિલાલ સોલંકીના ઘરે ગણપતિ બાપ્‍પાના આગમનથી બીજેપી હોદેદારોએ કર્યા દર્શન

vartmanpravah

ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ગોવા, દમણ અને દીવના પોર્ટુગીઝ રાષ્‍ટ્રીય કાયદા મુજબ રાષ્‍ટ્રીયતા ધરાવતા નાગરિકોને વિઝા/એક્‍ઝિટ પરમિશન માટે પડતી સમસ્‍યાનું નિદાન કરાયું

vartmanpravah

15મી નવેમ્‍બરથી સેલવાસના આમલી ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન

vartmanpravah

વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની ૩૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈઃ કારોબારી પ્રમુખ તરીકે ફરીવાર બળવંતસિંહ સોલંકીની નિમણૂંક

vartmanpravah

Leave a Comment