July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે દમણ કોર્ટમાં ‘વિશ્વ ન્‍યાય દિવસ’ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને બારએસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે આજે દમણ કોર્ટમાં વિશ્વ ન્‍યાય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન બાર એસોસિએશનના સભ્‍યોએ ઘરે ઘરે જઈને લોકોને જાગૃતિ માટે પેમ્‍ફલેટનું વિતરણ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ કોર્ટ પરિસરમાં સભ્‍ય સહ-સચિવ અને સિવિલ જજ સિનિયર ડિવિઝન અને ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ શ્રી પવન એચ. બંસોડ, રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણની અધ્‍યક્ષતામાં વિશ્વ ન્‍યાય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમય દરમિયાન, બાર એસોસિએશનના સભ્‍યો અને કોર્ટના સ્‍ટાફને જણાવવામાં આવ્‍યું હતું કે, પીડિતોના અધિકારોને પ્રોત્‍સાહન આપવા અને શાંતિ વિરુદ્ધના ગુનાઓને રોકવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે 17 જુલાઈના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. વિશ્વમાં સુરક્ષા અને સુખાકારી માટે ન્‍યાય દિવસ ઉજવવામાં આવે છે.
17 જુલાઈના રોજ આ દિવસ મનાવવા પાછળનું કારણ એ છે કે આ દિવસે 1988માં સંયુક્‍ત રાષ્‍ટ્ર મહાસભાની રોમ કોન્‍ફરન્‍સમાં રોમ કાનૂન અપનાવવામાં આવ્‍યો હતો. આ સંધિ દ્વારા ઇન્‍ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે ત્‍ઘ્‍ઘ્‍ની સ્‍થાપના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ બાદ દમણ બાર એસોસિએશનના સભ્‍યો અને એડવોકેટોએ વિશ્વ ન્‍યાય દિવસ વિશેઘરે-ઘરે અને દુકાનો અને સંસ્‍થાઓમાં પેમ્‍ફલેટનું વિતરણ કરીને લોકોને જાગૃત કર્યા હતા.

Related posts

વલસાડ માલવણ કોસ્‍ટલ હાઈવે ઉપર મધરાતે બુટલેગરની કારે 19 ગાયો અડફેટે લીધી : 11 એ જીવ ગુમાવ્‍યા

vartmanpravah

સેલવાસની તિરુપતિ રેસીડેન્‍સીમાં ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી વિસ્‍તારમાં રક્‍તદાન મહાકુંભ યોજાયો: અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદે રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

દમણની જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્‍થા દ્વારા નવનિયુક્‍ત બ્‍લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર, ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર અને બ્‍લોક રિસોર્સ પર્સન માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્‍ટ ચીખલી અને ખેરગામના ગામોમાં કોંગ્રેસની લીડ ઘટીઃ દબદબો યથાવત રહ્યો

vartmanpravah

1લી જુલાઈએ શતરંજ ઓલમ્‍પિયાડની મશાલ રીલે દમણ પહોંચશેઃસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે થનારૂં ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

Leave a Comment