Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્‍ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.23: દેશના પૂર્વ પટ્ટીમાં આવેલ મણીપુર રાજ્‍યમાં પિસાચીકાંડ આચરાયો હતો. ત્રણ મહિલાઓને નિર્વષા કરીને સામુહિક બળાત્‍કારની બનેલી હિચકારી શરમજનક ઘટનાના પ્રત્‍યાઘાત દેશભરમાં પડયા છે. વલસાડ જિલ્લામાં ખેરગામ અને ધરમપુરમાં રેલી કાઢી સજ્જડ બંધ પળાયો હતો.
મણીપુરની હિચકારી ઘટનાના વિરોધમાં આજે રવિવારે આદિવાસી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું હતું. ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલથી બાબા સાહેબ સર્કલ સુધી મૌન રેલી કાઢીને મુક આક્રોશ ઠાલવવામાં આવ્‍યો હતો. રેલીમાં વેપારીઓ, ડોક્‍ટર, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને રાજકીય આગેવાનો જોડાયા હતા. મણીપુર રાજ્‍યમાં ઘટેલી ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાત ખેરગામમાં પણ પડયા હતા. ખેરગામમાં પણ આદિવાસી સમુદાય રેલી કાઢી હિચકારી ઘટનાને વખોડી દેવાઈ હતી.

Related posts

શહાદાના ઈસમે સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટે અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

લો..હવે..ઘરફોડ ચોરી બાદ વાહનોનો વારો: પારડી નગર પાલિકાના ત્રણ વાહનોમાંથી બેટરી ચોરાઈ

vartmanpravah

રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ કરાયા

vartmanpravah

વાપી વી.આઈ.એ. અને ઝેડ.આર.યુ.સી.સી.ની વંદે ભારત એક્ષપ્રેસ ટ્રેનના સ્‍ટોપેજની માંગણી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ ખાતે ભગવદ્‌ ગીતા જયંતિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment