(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23: ગત મે માસમાં મણીપુર રાજ્યમાં બે મહિલાઓને નિર્વષા હાલતમાં પરેડ કરાવવાની શરમજનક ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા ગુજરાત બંધનુ એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે ચીખલી તાલુકાના વેપારી મથક એવા રાનકુવા ઉપરાંત સુરખાઈ સહિતના અનેક વિસ્તારમાં સવારથી જ દુકાનો ન ખુલતા સમગ્ર બજાર સજ્જડ બંધ રહેતા બંધને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. વેપારી દ્વારા સ્વયંભૂ જોડાઈને મણીપુરની ઘટના સામે વિરોધ દર્શાવી વખોડી હતી. બંધને પગલે સુરખાઇ સહિતના વિસ્તારમાં હટવાડા એટલે કે હાટ બજાર પણ બંધ રહ્યા હતા.