April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મણીપુરની ઘટનાના વિરોધમાં આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને ચીખલીના રાનકુવા, સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં મળેલો પ્રતિસાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23: ગત મે માસમાં મણીપુર રાજ્‍યમાં બે મહિલાઓને નિર્વષા હાલતમાં પરેડ કરાવવાની શરમજનક ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ ઘેરા પ્રત્‍યાઘાત પડયા હતા અને વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા ગુજરાત બંધનુ એલાન આપવામાં આવ્‍યું હતું. જેને પગલે ચીખલી તાલુકાના વેપારી મથક એવા રાનકુવા ઉપરાંત સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં સવારથી જ દુકાનો ન ખુલતા સમગ્ર બજાર સજ્જડ બંધ રહેતા બંધને જબરજસ્‍ત પ્રતિસાદ મળ્‍યો હતો. વેપારી દ્વારા સ્‍વયંભૂ જોડાઈને મણીપુરની ઘટના સામે વિરોધ દર્શાવી વખોડી હતી. બંધને પગલે સુરખાઇ સહિતના વિસ્‍તારમાં હટવાડા એટલે કે હાટ બજાર પણ બંધ રહ્યા હતા.

Related posts

વાપીમાં વૃષ્‍ટિ શાહનો ભવ્‍ય આરંગેત્રમ્‌ દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડ કાંઠાના ચાર ગામોમાં પૂનમની ભરતીએ તબાહી સર્જી : ઘરો બે થી ત્રણ ફૂટ પાણીમાં તરતા થયા

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને દીર્ઘદૃષ્‍ટિની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

વાપી ટુકવાડા અવધ ઉથોપિયા બંગલામાં પરિવાર સુતો રહ્યો ને તસ્‍કરો રૂા.1.20 લાખની મત્તા ચોરી ગયા

vartmanpravah

પ્રદેશમાં આયુષ્‍માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ નવા રજીસ્‍ટ્રેશન અને રિન્‍યુઅલ પ્રક્રિયા શરૂ

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજના એગ્રીકલ્‍ચર ઈનોવેશન પ્રોજેકટની રાષ્‍ટ્રીય કક્ષાના હેકથોનમાં સિદ્ધિ

vartmanpravah

Leave a Comment