Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મણીપુરની ઘટનાના વિરોધમાં આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને ચીખલીના રાનકુવા, સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં મળેલો પ્રતિસાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23: ગત મે માસમાં મણીપુર રાજ્‍યમાં બે મહિલાઓને નિર્વષા હાલતમાં પરેડ કરાવવાની શરમજનક ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ ઘેરા પ્રત્‍યાઘાત પડયા હતા અને વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા ગુજરાત બંધનુ એલાન આપવામાં આવ્‍યું હતું. જેને પગલે ચીખલી તાલુકાના વેપારી મથક એવા રાનકુવા ઉપરાંત સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં સવારથી જ દુકાનો ન ખુલતા સમગ્ર બજાર સજ્જડ બંધ રહેતા બંધને જબરજસ્‍ત પ્રતિસાદ મળ્‍યો હતો. વેપારી દ્વારા સ્‍વયંભૂ જોડાઈને મણીપુરની ઘટના સામે વિરોધ દર્શાવી વખોડી હતી. બંધને પગલે સુરખાઇ સહિતના વિસ્‍તારમાં હટવાડા એટલે કે હાટ બજાર પણ બંધ રહ્યા હતા.

Related posts

યુવાનોમાં હાર્ટ એટેકનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે: સરકારી આર્ટસ કોલેજ, ગાંધીનગર ખાતે સેમીનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં બેરોકટોક ચાલતા ગેરકાયદે કતલખાના અને મટન શોપની તપાસ કરવા કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લામાં 303 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 64.32 ટકા નોંધાયેલું મતદાન: 21ના મંગળવારે જે તે મતદાન ગણતરી કેન્‍દ્રો ઉપર મતદાન ગણતરી હાથ ધરવામાં આવનાર છે

vartmanpravah

વાપી નૂતનનગરમાં વિજ કંપનીએ નડતરરૂપ ઝાડ કાપી જયાં ત્‍યા મૂકી રાખ્‍યા: સ્‍થાનિક રહિશો માટે ઝાડ નડતરરૂપ બની રહ્યા હોવાથી રોષ

vartmanpravah

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભા વિકાસના વિશ્વાસ અને પારદર્શક પ્રશાસનના ભરોસા સાથે સંપન્ન

vartmanpravah

Leave a Comment