October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મણીપુરની ઘટનાના વિરોધમાં આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને ચીખલીના રાનકુવા, સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં મળેલો પ્રતિસાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23: ગત મે માસમાં મણીપુર રાજ્‍યમાં બે મહિલાઓને નિર્વષા હાલતમાં પરેડ કરાવવાની શરમજનક ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ ઘેરા પ્રત્‍યાઘાત પડયા હતા અને વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા ગુજરાત બંધનુ એલાન આપવામાં આવ્‍યું હતું. જેને પગલે ચીખલી તાલુકાના વેપારી મથક એવા રાનકુવા ઉપરાંત સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં સવારથી જ દુકાનો ન ખુલતા સમગ્ર બજાર સજ્જડ બંધ રહેતા બંધને જબરજસ્‍ત પ્રતિસાદ મળ્‍યો હતો. વેપારી દ્વારા સ્‍વયંભૂ જોડાઈને મણીપુરની ઘટના સામે વિરોધ દર્શાવી વખોડી હતી. બંધને પગલે સુરખાઇ સહિતના વિસ્‍તારમાં હટવાડા એટલે કે હાટ બજાર પણ બંધ રહ્યા હતા.

Related posts

વલસાડમાં કેજરીવાલનો ચૂંટણી રોડ શો યોજાયો

vartmanpravah

વણાકબારાના મીઠીવાડીનાએક ઘરમાં અડધી રાતે અચાનક આગ ભભુકી ઉઠી, ઘરમાં સૂતેલાનો ચમત્‍કારી બચાવ

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી ભીમપોર કેસર ઈન્‍ડસ્‍ટ્રીઝ પાસેની અજય ભુલા પટેલની ચાલમાં યોજાયેલી કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડમાં ફાયરમેનની પરીક્ષા આપવા આવેલા 7 પરીક્ષાર્થીઓ નવી ટેક્‍નોલોજીના ગેજેટ સાથે પકડાયા

vartmanpravah

દાનહઃ મોરખલના ધોડીપાડા, ડુંગરીપાડાનો ખનકી ઉપરનો મુખ્‍ય રસ્‍તો ધોવાઈ જતા હાલાકી

vartmanpravah

Leave a Comment