October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા પંચાયત દ્વારા આઝાદી સ્‍મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી 1954માં 2જી ઓગસ્‍ટના દિને પોર્ટુગીઝોનું ચંગુલમાંથી આઝાદ થયો હતો. જેની શરૂઆત દાદરા ગામે 22 જુલાઈના રોજથી થઈ હતી. દાદરા પંચાયત પરિસરમાં આઝાદી સ્‍મારક પાસે દાદરાના સરપંચ, ઉપ સરપંચ, દાદરા વિભાગના જિલ્લા પંચાયતના સીઈઓ અને આદિવાસી એકતા પરિષદના પ્રતિનિધિઓ દ્વારા વીર સ્‍વાતંત્ર્ય સેનાનીઓના માન સન્‍માનમા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
22 જુલાઈથી બે ઓગસ્‍ટ સુધી વિવિધ પંચાયતોમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 22જુલાઈ દાનહવાસીઓ માટે ઘણો મહત્‍વનો દિવસ છે. કારણ કે, આ દિવસથી પ્રદેશમાં સ્‍વતંત્ર દિવસની શરૂઆત થઈ હતી. આ અવસરે જિલ્લા પંચાયત સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્મા, દાદરા ગામના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, ઉપ સરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના સભ્‍ય, ગ્રામ પંચાયતના સભ્‍યો, આદિવાસી એકતા પરિષદના પ્રતિનિધિ શ્રી પ્રભુ ટોકીયા સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કોમન લૉ એડમિશન ટેસ્‍ટ (CLAT)ની પરીક્ષા આજે દેશભરના 139 કેન્‍દ્ર ખાતે સંપન્નઃ સેલવાસ અને દીવ કેન્‍દ્ર ખાતે 100 ટકા હાજરી નોંધાઈ

vartmanpravah

વાપી હાઈવે સર્વિસ રોડ વધુ ગંભીર અકસ્‍માત ઝોન બનવા તરફી : નવા ડેપોને લઈ દુર્ઘટનાઓની વધેલી ભીતિ

vartmanpravah

તાળીઓની રમઝટ સાથે માતાજીના ગરબા રમતા આર.કે.દેસાઈ કોલેજ પરિવારના ખેલૈયાઓ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલીમુલાકાત

vartmanpravah

ગાંધીનગરમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સિંગાપોરના ડે.વડાપ્રધાન વચ્‍ચે ફિનટેક કો.ઓપ માટે કરાર થયા

vartmanpravah

પોર્ટુગીઝોએ ભારતીય વસાહતો પર સત્તા મેળવવા માટે લગભગ ચારસો વર્ષ અથાક પ્રયત્‍નો કર્યા હતા અને તે પછી પોણા બસો વર્ષ સત્તા ટકાવી રાખી હતી

vartmanpravah

Leave a Comment