Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા પંચાયત દ્વારા આઝાદી સ્‍મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી 1954માં 2જી ઓગસ્‍ટના દિને પોર્ટુગીઝોનું ચંગુલમાંથી આઝાદ થયો હતો. જેની શરૂઆત દાદરા ગામે 22 જુલાઈના રોજથી થઈ હતી. દાદરા પંચાયત પરિસરમાં આઝાદી સ્‍મારક પાસે દાદરાના સરપંચ, ઉપ સરપંચ, દાદરા વિભાગના જિલ્લા પંચાયતના સીઈઓ અને આદિવાસી એકતા પરિષદના પ્રતિનિધિઓ દ્વારા વીર સ્‍વાતંત્ર્ય સેનાનીઓના માન સન્‍માનમા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
22 જુલાઈથી બે ઓગસ્‍ટ સુધી વિવિધ પંચાયતોમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 22જુલાઈ દાનહવાસીઓ માટે ઘણો મહત્‍વનો દિવસ છે. કારણ કે, આ દિવસથી પ્રદેશમાં સ્‍વતંત્ર દિવસની શરૂઆત થઈ હતી. આ અવસરે જિલ્લા પંચાયત સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્મા, દાદરા ગામના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, ઉપ સરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના સભ્‍ય, ગ્રામ પંચાયતના સભ્‍યો, આદિવાસી એકતા પરિષદના પ્રતિનિધિ શ્રી પ્રભુ ટોકીયા સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ ન્‍યાયાલયમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસે એક માસમાં ગુમ/અપહરણ થયેલા 49 બાળકો/વ્‍યક્‍તિઓને શોધી કાઢયા

vartmanpravah

દમણ જિ.પં.ના તત્‍કાલિન પ્રમુખ નવિન પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલ વચ્‍ચે પૈસાની લેનદેણ કરનાર ઈસરાર ઉર્ફે બબલુ મજીબુલ્લા ચૌધરીની ધરપકડ

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

vartmanpravah

વલસાડના ધડોઈ ગામે કપડા સુકાવતા વહુને કરંટ લાગતા સાસુ બચાવવા દોડયા : સાસુનુ કરંટ લાગતા મોત

vartmanpravah

ભાજપ વલસાડ જિલ્લા-પારડી શહેર દ્વારા પારડી ખાતે યોજાયો નિઃશુલ્‍કᅠમેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પᅠ

vartmanpravah

Leave a Comment