Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ સાંસદ કલાબેન ડેલકરે મણિપુરની જઘન્‍ય ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવા પ્રધાનમંત્રી મોદીને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનાસાંસદ શ્રીમતી કલાબેન ડેલકર દ્વારા મણિપુરમાં આચરેલી જઘન્‍ય અને સમગ્ર દેશને શર્મસાર કરતી ઘટના અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને પત્ર લખી આરોપીઓને કડકમાં કડક સજા કરવા રજૂઆત કરી છે.
શ્રીમતી કલાબેન ડેલકરે પ્રધાનમંત્રીશ્રીને લખેલા પત્રમાં જણાવ્‍યું છે કે, મણિપુરમાં થયેલ મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાની તસ્‍વીરો હૃદયને કંપાવી દે એવી છે. મહિલાઓ સાથે ઘટેલ આ ભયાવહ હિંસાની ઘટનાની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. મણિપુરની ઘટના કોઈપણ સભ્‍ય સમાજ માટે શર્મસાર કરનારી અને રાક્ષસી કૃત્‍ય છે. મણિપુરની દિકરીઓ સાથે રાક્ષસી જઘન્‍ય કૃત્‍ય કરનારાઓને કદી માફ નહિ કરી શકાય.
શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્‍યું છે કે, અમારી માતાઓ, બહેનોની રક્ષાના માટે કઠોર પગલાં ઉઠાવી આ ઘટનાની ઉચ્‍ચ સ્‍તરે તપાસ થાય અને ફાસ્‍ટટ્રેક કોર્ટમાં વહેલામાં વહેલી ઘટના બાબતની સુનાવણી કરવામાં આવે અને આવા દરિન્‍દોને એવી સજા આપવામાં આવે કે ભવિષ્‍યમાં કોઈપણ વ્‍યક્‍તિ આવું રાક્ષસી કૃત્‍ય કરવા પહેલાં હજારવાર વિચાર કરે. તેથી આશા કરીએ છીએ કે, આપ આ ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખતા યોગ્‍ય પગલાં લેશો.

Related posts

આજે વાપીમાં યુવા અનાવિલ સંગઠન દ્વારા 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કારનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે

vartmanpravah

લો..હવે..ઘરફોડ ચોરી બાદ વાહનોનો વારો: પારડી નગર પાલિકાના ત્રણ વાહનોમાંથી બેટરી ચોરાઈ

vartmanpravah

તા.30મીએ સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક મળશે

vartmanpravah

દમણમાં બસપાના સંસ્‍થાપક બહુજન નાયક કાંશીરામજીની 88મી જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ અને મહારાષ્‍ટ્ર સરહદ પર 2.9 રિકટર સ્‍કેલનો ભૂકંપ : સેલવાસનું નરોલી એપિસેન્‍ટર

vartmanpravah

દાનહના સાંસદ અને કલેક્‍ટર સમક્ષ કરેલી રજૂઆતમાં સેલવાસ ન.પા.ના વોર્ડ નં.3ના સભ્‍ય સુમનભાઈ પટેલની હૈયાવરાળ : સેલવાસ શહેરમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ જલ્‍દીથી દુર કરો

vartmanpravah

Leave a Comment