Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ સાંસદ કલાબેન ડેલકરે મણિપુરની જઘન્‍ય ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવા પ્રધાનમંત્રી મોદીને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનાસાંસદ શ્રીમતી કલાબેન ડેલકર દ્વારા મણિપુરમાં આચરેલી જઘન્‍ય અને સમગ્ર દેશને શર્મસાર કરતી ઘટના અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને પત્ર લખી આરોપીઓને કડકમાં કડક સજા કરવા રજૂઆત કરી છે.
શ્રીમતી કલાબેન ડેલકરે પ્રધાનમંત્રીશ્રીને લખેલા પત્રમાં જણાવ્‍યું છે કે, મણિપુરમાં થયેલ મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાની તસ્‍વીરો હૃદયને કંપાવી દે એવી છે. મહિલાઓ સાથે ઘટેલ આ ભયાવહ હિંસાની ઘટનાની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. મણિપુરની ઘટના કોઈપણ સભ્‍ય સમાજ માટે શર્મસાર કરનારી અને રાક્ષસી કૃત્‍ય છે. મણિપુરની દિકરીઓ સાથે રાક્ષસી જઘન્‍ય કૃત્‍ય કરનારાઓને કદી માફ નહિ કરી શકાય.
શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્‍યું છે કે, અમારી માતાઓ, બહેનોની રક્ષાના માટે કઠોર પગલાં ઉઠાવી આ ઘટનાની ઉચ્‍ચ સ્‍તરે તપાસ થાય અને ફાસ્‍ટટ્રેક કોર્ટમાં વહેલામાં વહેલી ઘટના બાબતની સુનાવણી કરવામાં આવે અને આવા દરિન્‍દોને એવી સજા આપવામાં આવે કે ભવિષ્‍યમાં કોઈપણ વ્‍યક્‍તિ આવું રાક્ષસી કૃત્‍ય કરવા પહેલાં હજારવાર વિચાર કરે. તેથી આશા કરીએ છીએ કે, આપ આ ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખતા યોગ્‍ય પગલાં લેશો.

Related posts

સંઘપ્રદેશના વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી એ.મુથમ્‍માને રિલીવ કરાયા

vartmanpravah

રામ મંદિરના નિર્માણ કાર્યમાં શ્રમદાન કરવા પારડીથી આરએસએસ, વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળની ટીમ રવાના

vartmanpravah

દમણમાં 11, દાનહમાં 14 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના જન પ્રતિનિધિઓની ત્રિ-દિવસીય એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળા સંપન્ન

vartmanpravah

વાપીમાં ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

વાપી બલીઠા હાઈવે સર્વિસ રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈઃ ટ્રાફિક સમસ્‍યા હળવી થશે

vartmanpravah

Leave a Comment