July 25, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા કારગિલ યુદ્ધ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કારગિલ યુદ્ધ ભારતીય સેનાની અદમ્‍ય હિંમત, શોર્ય, ખુમારી અને બહાદુરીનું એવું ઉદાહરણ છે કે જેના પર દરેક ભારતીયને ગર્વ છે. તો આ દિવસની ઉજવણીને લઈ શાળાના નાના ભૂલકાંઓ સરસ સૈનિકોની વેશભૂષામાં સુસજજ થઈ આવ્‍યા હતા. બાળકોએ ભારત દેશ જે હંમેશા શાંતિ સલામતી અને સદભાવનામાં માને છે જેણે ઈતિહાસમાં આ પરંપરાનું કયારેય ઉલ્લંઘન નથી કર્યું. પરંતુ જ્‍યારે દેશની આન બાન શાન પર તરાપ મારવામાં આવી ત્‍યારે દુશ્‍મનોને બક્ષ્યા પણ નથી આ મિશાલને યાદ કરાવી હતી. આ સાથે જ બાળકો દ્વારા સરસ મજાના પોસ્‍ટરો બનાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી વીર જવાનોની હિંમતને યાદ કરવામાં આવી હતી.

Related posts

પાલ ગામ સ્‍થિત શાળા ક્રમાંક 319માં કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વીર વંદના કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

vartmanpravah

નવેમ્‍બરના અંતમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સંઘપ્રદેશ મુલાકાતનો ગોઠવાતો તખ્‍તોઃ સંઘપ્રદેશના લોકો આવકારવા આતુર

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્‍સ સેમિનાર યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

vartmanpravah

વાપી શહેરનું નામ બદલવાની જરૂર છે ‘‘ખુલ્લી ગટર શહેર’’: વાપી વિસ્તારમાં ઠેર ઠેર ખુલ્લી રહેલી ગટરો અકસ્માતને આમંત્રી રહી છે

vartmanpravah

Leave a Comment