April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા કારગિલ યુદ્ધ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કારગિલ યુદ્ધ ભારતીય સેનાની અદમ્‍ય હિંમત, શોર્ય, ખુમારી અને બહાદુરીનું એવું ઉદાહરણ છે કે જેના પર દરેક ભારતીયને ગર્વ છે. તો આ દિવસની ઉજવણીને લઈ શાળાના નાના ભૂલકાંઓ સરસ સૈનિકોની વેશભૂષામાં સુસજજ થઈ આવ્‍યા હતા. બાળકોએ ભારત દેશ જે હંમેશા શાંતિ સલામતી અને સદભાવનામાં માને છે જેણે ઈતિહાસમાં આ પરંપરાનું કયારેય ઉલ્લંઘન નથી કર્યું. પરંતુ જ્‍યારે દેશની આન બાન શાન પર તરાપ મારવામાં આવી ત્‍યારે દુશ્‍મનોને બક્ષ્યા પણ નથી આ મિશાલને યાદ કરાવી હતી. આ સાથે જ બાળકો દ્વારા સરસ મજાના પોસ્‍ટરો બનાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી વીર જવાનોની હિંમતને યાદ કરવામાં આવી હતી.

Related posts

વાપી હરિયા પાર્કમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરી : લંપી વાયરસ નાબુદ અને ઘર ઘર તિરંગાની પ્રાર્થનાકરાઈ

vartmanpravah

આજે જીઆઈડીસી સૌરભ સોસાયટીમાં સરદાર પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ આવતી કાલ વધુ ઉજળી બનશે

vartmanpravah

ડીઆઈએના સભાખંડને પોતાના ફંડથી વાતાનુકૂલિત બનાવવા ઉદ્યોગપતિ કાયરસ દાદાચનજીએ કરેલી જાહેરાત

vartmanpravah

દીવના પોલીસ સ્‍ટેશન ખાતે વિધિવત ગણપતિ સ્‍થાપન કરવામાં આવી

vartmanpravah

મંગળવારે નાની દમણ મહિલા ભવનના હોલમાં પદ્મશ્રી સ્‍વ. પ્રભાબેન શાહની પ્રાર્થના સભા યોજાશે

vartmanpravah

Leave a Comment