April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માંગવાનું વધ્‍યું ત્‍યાર થી ભક્‍તિ નિસતેજ બની છે : પ્રફુલભાઈ શુક્‍લ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: ‘‘કેવટ નિષ્‍કામ ધર્મનો આચાર્ય છે એટલે ભગવાન એની પાસે આવીને માગે છે,” માંગી નાવ ન કેવટ આના ‘‘ભક્‍તિ માગે નહીં પણ આપે, માંગવાનું વધ્‍યું ત્‍યારથી ભક્‍તિ નીસતેજ બની છે” ઉપરોક્‍ત શબ્‍દો આજે કાવડેજ શ્રધ્‍ધા મંદિરે ચાલી રહેલી રામ કથામાં કથાકાર પ્રફુલભાઈ શુક્‍લએ ઉચ્‍ચાર્યા હતા, વિશાળ જન્‍મેદની કથા શ્રવણનો લાભ લઈ રહી છે. આજે કથામાં પધારેલા લાભ પાંચમ 6/11/થી વેદાંશ્રમ નાધાઈ ભાગવત કથાના આયોજક લીલાબેન નટવરલાલ પટેલ અટગામ વાળાનું સુમિત્રાબેન પટેલ અને ઉર્મિલાબેન બિરારીએ સ્‍વાગત કર્યું હતું. શાંતુભાઈ ગાંવિત, પરભુભાઈ બિરારી, દેવેન્‍દ્રભાઈ માહલા, અને શ્રધ્‍ધા મંદિરના યુવાનો કથાને સફળ બનાવવા તનતોડ મેહનત કરી રહ્યા છે. પ્રફુલભાઈ શુક્‍લની ધારદાર વાણીથી કથા મંડપ શ્રોતાઓથી ઉભરાઈ રહ્યો છે. વાંકલના કર્મકાંડ આચાર્ય હર્ષદભાઈ દવેનું અંકુરભાઈ જોશી દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. શુક્રવારે રામેશ્વર પૂજાઉત્‍સવ ઉજવાશે. જેમાં સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્‍યુ છે. શનિવારે સાંજે 6, વાગે રામાયણનો દશાંશ હવન રાખવામાં આવ્‍યો છે.

Related posts

નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

પારડીથી નાનાપોંઢા જતા રસ્‍તાનું ખાતમુહૂર્ત કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

ગુજરાતમાંથી સીકેનાયડુ ટ્રોફી માટે દમણના ઉમંગ ટંડેલ અને સરલ પ્રજાપતિની પસંદગી.

vartmanpravah

વલસાડ પાલીહિલ વિસ્‍તારમાં રહેતી શિક્ષિકાએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

ભણતરથી કંટાળી પારડીના યુવાને ગોવાની વાટ પકડી: સોશિયલ મીડિયાના સહારે યુવાનને શોધી કાઢતી પારડી પોલીસ

vartmanpravah

મુંબઈની હેર આર્ટિસ્‍ટ નૈના મહંતની હત્‍યામાં આવ્‍યો નવો વળાંક: પૂર્વ પ્રેમી મનોહરે પત્‍ની સાથે મળી 2019 માં કરી હતી નૈનાને મારી નાખવાની કોશિશ

vartmanpravah

Leave a Comment