December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માંગવાનું વધ્‍યું ત્‍યાર થી ભક્‍તિ નિસતેજ બની છે : પ્રફુલભાઈ શુક્‍લ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: ‘‘કેવટ નિષ્‍કામ ધર્મનો આચાર્ય છે એટલે ભગવાન એની પાસે આવીને માગે છે,” માંગી નાવ ન કેવટ આના ‘‘ભક્‍તિ માગે નહીં પણ આપે, માંગવાનું વધ્‍યું ત્‍યારથી ભક્‍તિ નીસતેજ બની છે” ઉપરોક્‍ત શબ્‍દો આજે કાવડેજ શ્રધ્‍ધા મંદિરે ચાલી રહેલી રામ કથામાં કથાકાર પ્રફુલભાઈ શુક્‍લએ ઉચ્‍ચાર્યા હતા, વિશાળ જન્‍મેદની કથા શ્રવણનો લાભ લઈ રહી છે. આજે કથામાં પધારેલા લાભ પાંચમ 6/11/થી વેદાંશ્રમ નાધાઈ ભાગવત કથાના આયોજક લીલાબેન નટવરલાલ પટેલ અટગામ વાળાનું સુમિત્રાબેન પટેલ અને ઉર્મિલાબેન બિરારીએ સ્‍વાગત કર્યું હતું. શાંતુભાઈ ગાંવિત, પરભુભાઈ બિરારી, દેવેન્‍દ્રભાઈ માહલા, અને શ્રધ્‍ધા મંદિરના યુવાનો કથાને સફળ બનાવવા તનતોડ મેહનત કરી રહ્યા છે. પ્રફુલભાઈ શુક્‍લની ધારદાર વાણીથી કથા મંડપ શ્રોતાઓથી ઉભરાઈ રહ્યો છે. વાંકલના કર્મકાંડ આચાર્ય હર્ષદભાઈ દવેનું અંકુરભાઈ જોશી દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. શુક્રવારે રામેશ્વર પૂજાઉત્‍સવ ઉજવાશે. જેમાં સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્‍યુ છે. શનિવારે સાંજે 6, વાગે રામાયણનો દશાંશ હવન રાખવામાં આવ્‍યો છે.

Related posts

દીવના છેલ્લા 31 વર્ષથી દગાચી ખાતે ગુરુનાનક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આ વર્ષ પણ ગુરુ નાનક જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

પારડીની બગવાડા હાઈસ્‍કૂલમાં ગીતા જયંતિના પર્વે વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

અજાણી મહિલા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

વાપી સાતારકર મિત્ર મંડળનો ચોથો વાર્ષિક દશેરા સ્‍નેહ મિલન સમારોહ યોજાયોઃ સમાજના તેજસ્‍વી તારલાઓનું બહુમાન કરાયું

vartmanpravah

વાપીમાં ત્રણ સ્‍થળોએ નવરાત્રિ રમઝટના આયોજન : આ વર્ષની નવરાત્રિમાં ઘણા બધા નવિન આકર્ષણ જોવા મળશે

vartmanpravah

દાનહ નવા સ્‍પોર્ટ્‌સ કોમ્‍પલેક્ષ ખાતે યોગા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment