April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

દાદરા નગર હવેલીમાં પૂર અને વાવાઝોડાંમાં રાહત-બચાવ અંગે યુટી સ્‍તરીય મૉક ડ્રિલ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : સેલવાસમાં લાંબા સમયથી વરસાદના કારણે અને મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાઈ ગયા હતા. 8માંથી 5 લોકો સર્કિટ હાઉસની પાછળના ભાગે ફસાઈ ગયા હતા અને ત્રણ લોકો અન્‍ય જગ્‍યાએ ફસાયા હતા. જે અંગે કંટ્રોલ રૂમમાં સૂચના મળતાં તરત જ ડી.ઇ.ઓ.સી.ને જાણ કરવામાં આવેલ ત્‍યારબાદ ટીમ ઘટનાસ્‍થળે પહોંચી લોકેશન ઇંસિડેન્‍ટ કમાન્‍ડર આરડીસીને ઘટનાસ્‍થળ પર મોકલવામા આવી. સ્‍થિતિની પુષ્ટિ થતાં ફાયર ફાઈટર વિભાગ અને એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી અને હોડી અને તરવૈયા તથા ઓબીએમ દ્વારા ફસાયેલ વ્‍યક્‍તિઓને બચાવવામાં આવ્‍યા હતા.
સી.એચ.સી. રખોલીમાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જતાં 8 દર્દીઓને મસાટ પી.એચ.સી.માં સ્‍થાનાંતરિત કરવામાં આવ્‍યા હતા. રાજ પેટ્રો સ્‍પેશલીટીઝ પ્રા.લી.માં પાણી ભરાઈજવાને કારણે બેસ ઓઇલ રિવાસ થયેલ હતી જેની સૂચના કંટ્રોલ રૂમને થતાં ફાયર ફાઈટરોની ટીમ અને અન્‍ય રાહત-બચાવ કાર્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓને મોકલવામાં આવ્‍યા. રાહત-બચાવ કામગીરી સમયે પી.ડી.સી.એલ. દ્વારા પાવર કટ કરવામાં આવ્‍યો હતો અને કંપનીમાં બે કર્મચારી ઘાયલ થયા હતા જેઓને સ્‍ટરલાઈટ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા એમ્‍બ્‍યુલન્‍સમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને દાનહ જિલ્લા ડિઝાસ્‍ટર અને એન.ડી.આર.એફ.ની છઠ્ઠી બટાલિયનના સહયોગથી સંઘપ્રદેશમાં ત્રણ અલગ અલગ સ્‍થળોએ પૂર અને વાવાઝોડાંના સમયે જરૂરી રાહત પહોંચાડવી તેમજ બચાવ કેવી રીતે કરવો તે બાબતે મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણગંગા નદી બેસિન સર્કિટ હાઉસ પાછળ, સી.એચ.સી. રખોલી અને મેસર્સ રાજ પેટ્રો સ્‍પેશલીટી પ્રાઇવેટ લીમીટેડ રખોલી જેમાં સરકારી દરેક અધિકારી પોલીસ, ફાયર વિભાગ, રાજસ્‍વ વિભાગ સાથે ઉદ્યોગ, આપદા મિત્ર, રેડક્રોસ વગેરેએ આ મૉક ડ્રિલમાં ભાગ લીધો હતો.
અત્રે આયોજીત મૉક ડ્રિલમાં દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર અને સેલવાસ ઈન્‍સિડેન્‍ટ કમાન્‍ડર સુશ્રી ચાર્મી પારેખ, નિવાસી નાયબ કલેક્‍ટર(જનરલ) શ્રી અમિતશર્મા, ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર, જિલ્લા પંચાયત મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા, આઇપીએસ શ્રીમતી લક્ષ્મી, લેબર ઓફિસર શ્રી મિહિર જોશી સહિત અધિકારીઓ, એનડીઆરએફ, એસડીઆરએફ તથા ફાયર ફાઈટર વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

Related posts

સેલવાસ નગરપાલિકા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે દાનહમાં નવરાત્રીની ઉજવણી માટેની માર્ગદર્શિકા નક્કી કરવા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

સરીગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર અર્થે અગ્રણી મનીષ રાયે બોલાવેલી વિશાળ સભા

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : દમણમાં એકપણ નહી : તંત્ર હરકતમાં

vartmanpravah

આંબાવાડીમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરતો પોણીયાનો પરણિત યુવાન

vartmanpravah

વાપીની આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં 2024-25ની પ્રવેશ પ્રક્રિયા શરૂ

vartmanpravah

દીવમાં નાગવા રોડ પર ગાડી સ્‍લીપ થતાં અકસ્‍માત સર્જાયો

vartmanpravah

Leave a Comment