October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કરચોંડના પતિ-પત્‍ની નદીમાં તણાતાં એનડીઆરએફની ટીમે હાથ ધરેલી શોધખોળ

ગામલોકો અને તંત્ર દ્વારા ભારે શોધખોળ આદરવા છતાં તણાયેલા બંને પતિ-પત્‍નીની કોઈ ભાળ મળી શકી નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.28: વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના કરચોંડ ગામે ખેતરમાં કામ કરી રહેલ ખેડૂત પરિવારના પતિ-પત્‍ની ભારે વરસાદના કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં નદીમાં તણાઈ જવાની ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે ચતુર બારકુ ઘાંટાળ (ઉ.વ.55) અને તેમની પત્‍ની પોવની ચતુર ઘાંટાળ (ઉ.વ 52) રહેવાસી કરચોંડ પટેલપાડા જેઓ બન્ને પતિ-પત્‍ની નદી કિનારે આવેલા તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં બન્ને જણા ફસાઈ ગયા હતા. બાદમાં ઔર વધુ પાણીના ધસમસતા પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા. ગ્રામજનોનેખબર મળતાં જ તેઓએ તણાઈ ગયેલા પતિ-પત્‍નીની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેમનો ક્‍યાંય પત્તો લાગ્‍યો ન હતો. આ ઘટના અંગેની જાણ પ્રશાસનને કરાતા તાત્‍કાલિક એનડીઆરએફની ટીમને કામે લગાડી દેવામાં આવી હતી અને આ બન્ને પતિ-પત્‍નીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ હજુ સુધી તણાયેલા પતિ-પત્‍નિની કોઈ ભાળી શકી નથી.
અત્રે યાદ રહે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી દાનહ સહિત મધુબન ડેમના ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ બાબતે રોજે રોજ લોકોને સૂચિત પણ કરવામાં આવી રહ્યા છે. પ્રશાસન દ્વારા સૂચિત કરવામાં આવે છે કે ભારે વરસાદમાં ભયજનક સ્‍થળોએ નહીં જવા અને કોઈ અતિ મહત્ત્વના કામ નહીં હોય તો ઘરની બહાર નહીં નિકળવા અપીલ કરવામાં આવે છે.

Related posts

વલસાડમાં ‘‘હોમગાર્ડઝ સ્‍થાપના દિન”ની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ ગુંદલાવ ગ્રામ પંચાયત ખાતે રક્‍તદાન શિબિરમાં 111 રક્‍તબેગ એકત્ર કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ, દાનહ અને દમણ-દીવ દ્વારા જુવેનાઇલ જસ્‍ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ અને બાળ જાતિય શોષણ સામેના કાયદા પર કાર્યક્ષમતા કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ રેડ ક્રોસ શાખાને મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્‍તે પ્રતિષ્‍ઠિત એવોર્ડ એનાયત

vartmanpravah

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

vartmanpravah

Leave a Comment