April 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

મોટી દમણ પરિયારી ખાતે રાત્રિ ચૌપાલ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30
તા.29/12/2021ના રોજ પરિયારી ગામમાં સામાન્‍ય લોકો માટે રાત્રિ ચૌપાલનું આયોજન કરવામાં આવ્‍યુંહતું, જે સોલિડ વેસ્‍ટ (હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ) બાયલોઝ-2021થી સંઘપ્રદેશમાં લાગુ કરવામાં આવનાર છે.આ રાત્રિ ચૌપાલમાં બીડીઓ શ્રી પ્રેમજી મકવાણા, ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પંક્‍તિબેન પટેલ, પંચાયત સચિવ અને પ્રજાજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ ચૌપાલ દરમિયાન સામાન્‍ય જનતાને બાયો-ડિગ્રેડેબલ વેસ્‍ટ, નોન-બાયોડિગ્રેડેબલ વેસ્‍ટ, પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ, જોખમી કચરો, બાયો-મેડિકલ વેસ્‍ટ, કન્‍સ્‍ટ્રક્‍શન અને ડિમોલિશન વેસ્‍ટ જેવા વિવિધ કેટેગરીના કચરા વિશે જાગળત કરવામાં આવ્‍યા હતા. સરપંચ, ચૂંટાયેલા સભ્‍ય, બીડીઓ, પંચાયત સચિવનો સમાવેશ કરતા પંચાયત વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતાના ધોરણો પર દેખરેખ રાખવા માટે બનાવેલ ગ્રામ પંચાયત મુજબના વોટ્‍સએપ ગ્રુપ વિશે પણ તેમને માહિતગાર કરવામાં આવ્‍યા હતા.
ઉપસ્‍થિતોને બાયો-ડિગ્રેડેબલ અને રિસાયકલ કરી શકાય તેવા કચરો, નિર્દિષ્ટ જોખમી કચરો, બાયોમેડિકલ કચરો વિશે માહિતી ધરાવતા માહિતી પેમ્‍ફલેટ્‍સનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. સામાન્‍ય લોકોને સ્‍વચ્‍છતા સુવિધાઓનો ઉપયોગ કરવા સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે સંવેદનશીલ બનાવવામાં આવ્‍યા હતા.
આ ઉપરાંત રાત્રિ ચૌપાલમાં ઉપસ્‍થિત અધિકારીઓએ સામાન્‍ય જનતાને જણાવ્‍યુ હતુ કે 26.01.20રર સુધીમાં દમણના તમામ ગામોમાંવોર્ડ પ્રમાણે રાત્રિ ચૌપાલનું સાપ્તાહિક આયોજન કરવામાં આવશે, કે જેથી પ્રદેશવાસીઓને સોલિડ વેસ્‍ટ ઉપ-નિયમો બાબતે જાગૃત કરી શકાય અને સ્‍વચ્‍છતાને એક લોકભાગીરદારી અભિયાન રૂપે બનાવી શકાય.

Related posts

ડીઆઈએના સભાખંડને પોતાના ફંડથી વાતાનુકૂલિત બનાવવા ઉદ્યોગપતિ કાયરસ દાદાચનજીએ કરેલી જાહેરાત

vartmanpravah

સેલવાસ ન.પા. સભ્યઍ શહેરની વિવિધ સમસ્યા અંગે કલેક્ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વાપીની યુવતિ દ.ગુજરાતના 1 હજાર સ્‍પર્ધકો વચ્‍ચે યોજાયેલ સિંગિંગ સ્‍પર્ધામાં વિજેતા બની

vartmanpravah

ખાનવેલ મીની કલેક્‍ટર કચેરી દ્વારા ગ્રામ પંચાયતોમાં ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સોમવારથી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા થનારી આઈકોનિક વીકની ઉજવણીઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વક્‍તવ્‍યનું સીધું પ્રસારણ નિહાળવા દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિમમાં આયોજન

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે કુપોષણ દૂર કરવા માટે પ્રશાસન દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાંની કરેલી પ્રશંસા

vartmanpravah

Leave a Comment