Vartman Pravah
Breaking Newsદમણ

મોટી દમણ પરિયારી ખાતે રાત્રિ ચૌપાલ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30
તા.29/12/2021ના રોજ પરિયારી ગામમાં સામાન્‍ય લોકો માટે રાત્રિ ચૌપાલનું આયોજન કરવામાં આવ્‍યુંહતું, જે સોલિડ વેસ્‍ટ (હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ) બાયલોઝ-2021થી સંઘપ્રદેશમાં લાગુ કરવામાં આવનાર છે.આ રાત્રિ ચૌપાલમાં બીડીઓ શ્રી પ્રેમજી મકવાણા, ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પંક્‍તિબેન પટેલ, પંચાયત સચિવ અને પ્રજાજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ ચૌપાલ દરમિયાન સામાન્‍ય જનતાને બાયો-ડિગ્રેડેબલ વેસ્‍ટ, નોન-બાયોડિગ્રેડેબલ વેસ્‍ટ, પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ, જોખમી કચરો, બાયો-મેડિકલ વેસ્‍ટ, કન્‍સ્‍ટ્રક્‍શન અને ડિમોલિશન વેસ્‍ટ જેવા વિવિધ કેટેગરીના કચરા વિશે જાગળત કરવામાં આવ્‍યા હતા. સરપંચ, ચૂંટાયેલા સભ્‍ય, બીડીઓ, પંચાયત સચિવનો સમાવેશ કરતા પંચાયત વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતાના ધોરણો પર દેખરેખ રાખવા માટે બનાવેલ ગ્રામ પંચાયત મુજબના વોટ્‍સએપ ગ્રુપ વિશે પણ તેમને માહિતગાર કરવામાં આવ્‍યા હતા.
ઉપસ્‍થિતોને બાયો-ડિગ્રેડેબલ અને રિસાયકલ કરી શકાય તેવા કચરો, નિર્દિષ્ટ જોખમી કચરો, બાયોમેડિકલ કચરો વિશે માહિતી ધરાવતા માહિતી પેમ્‍ફલેટ્‍સનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. સામાન્‍ય લોકોને સ્‍વચ્‍છતા સુવિધાઓનો ઉપયોગ કરવા સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે સંવેદનશીલ બનાવવામાં આવ્‍યા હતા.
આ ઉપરાંત રાત્રિ ચૌપાલમાં ઉપસ્‍થિત અધિકારીઓએ સામાન્‍ય જનતાને જણાવ્‍યુ હતુ કે 26.01.20રર સુધીમાં દમણના તમામ ગામોમાંવોર્ડ પ્રમાણે રાત્રિ ચૌપાલનું સાપ્તાહિક આયોજન કરવામાં આવશે, કે જેથી પ્રદેશવાસીઓને સોલિડ વેસ્‍ટ ઉપ-નિયમો બાબતે જાગૃત કરી શકાય અને સ્‍વચ્‍છતાને એક લોકભાગીરદારી અભિયાન રૂપે બનાવી શકાય.

Related posts

ઉમરગામ સોળસુંબા પંચાયતનો ડે.સરપંચ અને હંગામી ક્‍લાર્ક રૂા.3 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

સોળસુંબામાં યુવાને ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા : ઘટનાનું ઘૂંટાતું રહસ્‍યં

vartmanpravah

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ 

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા સિનિયર સિટીજન હોલમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી ચલામાં મા જનમ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

Leave a Comment