February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં પાંચ ઇંચ અને ખાનવેલમાં દસ ઇંચથી વધુ વરસાદ

  • મધુબન ડેમમાંથી તબક્કાવાર 2.50 લાખ ક્‍યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું

  • ખેતરોમાં પાણી ભરાવાને કારણે ડાંગર સહિતના પાકને પણ ભારે નુકસાનઃ ભગતપાડામાં એનડીઆરએફ અને કોસ્‍ટગાર્ડની ટીમ દ્વારા 22થી વધુ વ્‍યક્‍તિઓનું રેસ્‍ક્‍યુ કરી સેલ્‍ટર હોમમાં મોકલાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના સેલવાસમાં ગુરૂવારની રાત્રિના 8 વાગ્‍યાથી શુક્રવારના રાત્રિના આઠ વાગ્‍યા દરમિયાન પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હતો. જ્‍યારે ખાનવેલમાં ધોધમાર વરસાદ થતાં દસ ઇંચથી વધુવરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા અઢી લાખ ક્‍યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્‍યું હતું. ડેમમાંથી પાણી છોડવાને કારણે સેલવાસ નરોલી રોડ બ્રિજને રાત્રિ બાર વાગ્‍યાથી સવારે સાત વાગ્‍યા સુધી વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્‍યો હતો. નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે નદી કિનારેના નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાયા હતા.
ખાનવેલ વિસ્‍તારમાં ધોધમાર વરસાદ થતાં સાંકરતોડ નદીમાં ભારે પૂર આવવાને કારણે તલાવલી પુલ અને ખાનવેલથી ચૌડા પુલને બંધ કરવામાં આવ્‍યો હતો. મૂશળધાર વરસાદના કારણે ભગતપાડા, પારસપાડા સહિત નદી કિનારાના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે તારાજી સર્જાઈ હતી. ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાને કારણે ડાંગર સહિતના પાકને પણ ભારે નુકસાન થયું છે. ભગતપાડામાં એનડીઆરએફની ટીમ અને કોસ્‍ટગાર્ડની ટીમ દ્વારા 22થી વધુ વ્‍યક્‍તિઓનું રેસ્‍ક્‍યુ કરી સેલ્‍ટર હોમમાં લઈ જવામાં આવ્‍યા હતા.
ઘટનાની જાણ થતાં કલેક્‍ટર સહિત પ્રશાસનની ટીમ પહોંચી જરૂરી સહાય પહોંચાડવામાં આવી હતી. ભોગ બનેલા લોકોને વિવિધ સંસ્‍થાઓ દ્વારા પણ સહાયકિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. સ્‍થાનિકો દ્વારા પીડિતોને ભોજનની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી હતી. પવનનાસુસવાટા સાથે વરસાદના કારણે કેટલાક વિસ્‍તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને ફાયર વિભાગની ટીમ દ્વારા હટાવવામાં આવ્‍યા હતા. સેલવાસના કેટલાક નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાવવાની શક્‍યતાને લઈ નગરપાલિકા પ્રમુખ દ્વારા પરિસ્‍થિતિનો તાગ મેળવી કેટલાક લોકોને શેલ્‍ટર હોમમાં ખસેડવામાં આવ્‍યા હતા.

Related posts

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવની અનોખી ઉજવણી: દિલ્‍હીથી 34 રાજ્‍યોમાં ક્‍વીટ ઈન્‍ડિયાની થીમ હેઠળ નિકળેલ 10 મહિલા સહિત 7પ બાઈર્સનું પારડી-વલસાડમાં ભવ્‍ય સન્‍માન કરાયું

vartmanpravah

ચીખલી આરોગ્‍ય વિભાગ દ્વારા વર્લ્‍ડ હિપેટાઈટિસ-ડે નિમિત્તે

vartmanpravah

દાનહના કેટલાક વિસ્‍તારોમાં વાયરલ ફીવર અને ડેંગ્‍યુના કેસોમાં થયેલો વધારો સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલા યુવાનનું થયું મોત

vartmanpravah

આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળામાં 35163 લાભાર્થી 81 કરોડની સહાય ચૂકવાશે

vartmanpravah

દીવમાં અલગ અલગ બે જગ્‍યા પર લાગી આગ

vartmanpravah

Leave a Comment