September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કરચોંડના પતિ-પત્‍ની નદીમાં તણાતાં એનડીઆરએફની ટીમે હાથ ધરેલી શોધખોળ

ગામલોકો અને તંત્ર દ્વારા ભારે શોધખોળ આદરવા છતાં તણાયેલા બંને પતિ-પત્‍નીની કોઈ ભાળ મળી શકી નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.28: વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના કરચોંડ ગામે ખેતરમાં કામ કરી રહેલ ખેડૂત પરિવારના પતિ-પત્‍ની ભારે વરસાદના કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં નદીમાં તણાઈ જવાની ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે ચતુર બારકુ ઘાંટાળ (ઉ.વ.55) અને તેમની પત્‍ની પોવની ચતુર ઘાંટાળ (ઉ.વ 52) રહેવાસી કરચોંડ પટેલપાડા જેઓ બન્ને પતિ-પત્‍ની નદી કિનારે આવેલા તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં બન્ને જણા ફસાઈ ગયા હતા. બાદમાં ઔર વધુ પાણીના ધસમસતા પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા. ગ્રામજનોનેખબર મળતાં જ તેઓએ તણાઈ ગયેલા પતિ-પત્‍નીની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેમનો ક્‍યાંય પત્તો લાગ્‍યો ન હતો. આ ઘટના અંગેની જાણ પ્રશાસનને કરાતા તાત્‍કાલિક એનડીઆરએફની ટીમને કામે લગાડી દેવામાં આવી હતી અને આ બન્ને પતિ-પત્‍નીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ હજુ સુધી તણાયેલા પતિ-પત્‍નિની કોઈ ભાળી શકી નથી.
અત્રે યાદ રહે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી દાનહ સહિત મધુબન ડેમના ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ બાબતે રોજે રોજ લોકોને સૂચિત પણ કરવામાં આવી રહ્યા છે. પ્રશાસન દ્વારા સૂચિત કરવામાં આવે છે કે ભારે વરસાદમાં ભયજનક સ્‍થળોએ નહીં જવા અને કોઈ અતિ મહત્ત્વના કામ નહીં હોય તો ઘરની બહાર નહીં નિકળવા અપીલ કરવામાં આવે છે.

Related posts

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

vartmanpravah

નાના ખેડૂતોના કૃષિ ઉદ્યોગ સંઘ અને જિલ્લા ખેતીવાડી સંઘના સંયુક્‍ત ઉપક્રમે પારડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે વલસાડમાં “ચલ સાયકલ ચલાવવા જઈએ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટ્રીટ વેંડરની ચૂંટણી રદ્‌ કરવા શાકભાજીના વેપારી રામ મુરત મોર્યાએ કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મોટા ચમરબંધીએ પણ કાયદાની મર્યાદામાં જ રહેવું પડે છે

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દીવ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ વણાંકબારા શાળાના વિદ્યાર્થીઓને માદક દ્રવ્યોના દુરૂપયોગની રોકથામ ઉપર જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment