September 8, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં પાંચ ઇંચ અને ખાનવેલમાં દસ ઇંચથી વધુ વરસાદ

  • મધુબન ડેમમાંથી તબક્કાવાર 2.50 લાખ ક્‍યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું

  • ખેતરોમાં પાણી ભરાવાને કારણે ડાંગર સહિતના પાકને પણ ભારે નુકસાનઃ ભગતપાડામાં એનડીઆરએફ અને કોસ્‍ટગાર્ડની ટીમ દ્વારા 22થી વધુ વ્‍યક્‍તિઓનું રેસ્‍ક્‍યુ કરી સેલ્‍ટર હોમમાં મોકલાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના સેલવાસમાં ગુરૂવારની રાત્રિના 8 વાગ્‍યાથી શુક્રવારના રાત્રિના આઠ વાગ્‍યા દરમિયાન પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હતો. જ્‍યારે ખાનવેલમાં ધોધમાર વરસાદ થતાં દસ ઇંચથી વધુવરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા અઢી લાખ ક્‍યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્‍યું હતું. ડેમમાંથી પાણી છોડવાને કારણે સેલવાસ નરોલી રોડ બ્રિજને રાત્રિ બાર વાગ્‍યાથી સવારે સાત વાગ્‍યા સુધી વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્‍યો હતો. નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે નદી કિનારેના નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાયા હતા.
ખાનવેલ વિસ્‍તારમાં ધોધમાર વરસાદ થતાં સાંકરતોડ નદીમાં ભારે પૂર આવવાને કારણે તલાવલી પુલ અને ખાનવેલથી ચૌડા પુલને બંધ કરવામાં આવ્‍યો હતો. મૂશળધાર વરસાદના કારણે ભગતપાડા, પારસપાડા સહિત નદી કિનારાના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે તારાજી સર્જાઈ હતી. ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાને કારણે ડાંગર સહિતના પાકને પણ ભારે નુકસાન થયું છે. ભગતપાડામાં એનડીઆરએફની ટીમ અને કોસ્‍ટગાર્ડની ટીમ દ્વારા 22થી વધુ વ્‍યક્‍તિઓનું રેસ્‍ક્‍યુ કરી સેલ્‍ટર હોમમાં લઈ જવામાં આવ્‍યા હતા.
ઘટનાની જાણ થતાં કલેક્‍ટર સહિત પ્રશાસનની ટીમ પહોંચી જરૂરી સહાય પહોંચાડવામાં આવી હતી. ભોગ બનેલા લોકોને વિવિધ સંસ્‍થાઓ દ્વારા પણ સહાયકિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. સ્‍થાનિકો દ્વારા પીડિતોને ભોજનની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી હતી. પવનનાસુસવાટા સાથે વરસાદના કારણે કેટલાક વિસ્‍તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને ફાયર વિભાગની ટીમ દ્વારા હટાવવામાં આવ્‍યા હતા. સેલવાસના કેટલાક નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાવવાની શક્‍યતાને લઈ નગરપાલિકા પ્રમુખ દ્વારા પરિસ્‍થિતિનો તાગ મેળવી કેટલાક લોકોને શેલ્‍ટર હોમમાં ખસેડવામાં આવ્‍યા હતા.

Related posts

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી

vartmanpravah

આંટિયાવાડના નવનિયુક્‍ત સરપંચ ઉર્વશીબેન પટેલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

vartmanpravah

દમણમાં 69મા વન્‍યજીવ સપ્તાહની ઉત્‍સાહભેર થઈ રહેલી ઉજવણીઃ વૃક્ષારોપણ અને જમ્‍પોર બીચની સ્‍વચ્‍છતા પણ કરાઈ: આજે શાળાના વિદ્યાર્થીઓની રેલી અને વન ભોજનનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશમાં ઉત્તર ભારતીય હિન્‍દુ સમાજ દ્વારા આયોજીત ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ સીઝન-1નું સમાપન : વિષ્‍ણુ ઇલેવન વિજેતા પ્રયાગ ટાઈગર્સની ટીમ ઉપ વિજેતા

vartmanpravah

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

vartmanpravah

Leave a Comment