January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

દાનહ અને દમણ-દીવમાં પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરની વિવાદાસ્‍પદ ભૂમિકા સામે દાનહના પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને દમણ-દીવના વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલ સહિત અનેક હોદ્દેદારોએ પણ ભાજપ હાઈકમાન્‍ડને કરી હતી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લા 12 કરતાં વધુ વર્ષોથી કાર્યરત શ્રી વિવેક દાઢકરની બદલી અંદામાન અને નિકોબાર ટાપુના પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે કરવાનો આદેશ ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ જારી કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના સંગઠન મહામંત્રી તરીકે શ્રી વિવેક દાઢકરની કાર્યપ્રણાલી સામે પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ-દીવના વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ સહિતના અનેક પદાધિકારીઓએ ભાજપ હાઈકમાન્‍ડને મૌખિક રજૂઆતો પણ કરી હતી. વર્તમાન પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ સાથે પણ શ્રીવિવેક દાઢકરની અનેક મુદ્દાઓ ઉપર ચકમક ઝરી હોવાનું ભાજપના કાર્યકરો દ્વારા જાણવા મળે છે.
છેવટે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભાજપના સંગઠનને મજબૂત અને અસરકારક બનાવવા માટે સંગઠન મહામંત્રી તરીકે શ્રી વિવેક દાઢકરની નિયુક્‍તિ કરી હોવાનું સમજાય છે.

Related posts

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૨૩મી સપ્ટે.ના રોજ સંઘપ્રદેશમાં થનારા ૩ વર્ષ પૂર્ણ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

ચીખલીના સુરખાઈ ખાતે રવિકૃષિ મહોત્‍સવમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી માહિતગાર કરી પ્રાકળતિક ખેતી અપનાવવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઈન્‍ટર કોલેજ ટેબલ ટેનિસ વૂમન ટૂર્નામેન્‍ટમાં સિલ્‍વર મેડલ પ્રાપ્ત કર્યો

vartmanpravah

સમગ્ર પારડી દેશભક્‍તિના રંગમાં રંગાયું: ઠેરઠેર 75મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

vartmanpravah

સોલધરા ગામે માતાએ પૈસા ન આપતા પુત્રએ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

vartmanpravah

Leave a Comment