(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 :
દાદરા નગર હવેલી સર્વ આદિવાસી સમાજ દ્વારા આગામી 9મી ઓગસ્ટના દિને ‘વિશ્વ આદિવાસી દિવસ’ને સંયુક્ત રૂપે મનાવવા માટે સેલવાસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ અગાઉના સમયમાં આદિવાસી સમાજના ઢોડિયા, કુકણા અને વારલી સમાજ દ્વારા અલગ અલગ રીતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હતીજેથી આ વર્ષે નક્કી કરવામાં આવ્યું છે કે ખાનવેલ ચાર રસ્તાથી રેલી સ્વરૂપે નીકળી ખાનવેલ પંચાયત હોલ ખાતે સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્ત રૂપે એક જ જગ્યા પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેનો મુખ્ય ઉદેશ્ય અન્ય સમાજોની જેમ આદિવાસી સમાજ દ્વારા પણ અલગ અલગ નહીં પણ એક જ જગ્યા પર ભેગા મળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. જેમા પ્રદેશના દરેક આદિવાસી સમાજના લોકોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે. આ કાર્યક્રમ માટે પ્રદેશના પદાધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.