July 24, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : 
દાદરા નગર હવેલી સર્વ આદિવાસી સમાજ દ્વારા આગામી 9મી ઓગસ્‍ટના દિને ‘વિશ્વ આદિવાસી દિવસ’ને સંયુક્‍ત રૂપે મનાવવા માટે સેલવાસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ અગાઉના સમયમાં આદિવાસી સમાજના ઢોડિયા, કુકણા અને વારલી સમાજ દ્વારા અલગ અલગ રીતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હતીજેથી આ વર્ષે નક્કી કરવામાં આવ્‍યું છે કે ખાનવેલ ચાર રસ્‍તાથી રેલી સ્‍વરૂપે નીકળી ખાનવેલ પંચાયત હોલ ખાતે સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે એક જ જગ્‍યા પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેનો મુખ્‍ય ઉદેશ્‍ય અન્‍ય સમાજોની જેમ આદિવાસી સમાજ દ્વારા પણ અલગ અલગ નહીં પણ એક જ જગ્‍યા પર ભેગા મળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. જેમા પ્રદેશના દરેક આદિવાસી સમાજના લોકોને ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે. આ કાર્યક્રમ માટે પ્રદેશના પદાધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

મોટી દમણ ભાઠૈયાના નવયુવાન પોલીસ કોન્‍સ્‍ટેબલ વિશાલ પટેલનું આકસ્‍મિક નિધનઃ સમગ્ર વિસ્‍તારમાં છવાયેલો શોક

vartmanpravah

વાપીમાં મૃતકોને અંતિમ ધામની નિઃશુલ્‍ક સેવા આપતી મોક્ષધામ રથ સમિતિએ ફરી રથ કાર્યરત કર્યો

vartmanpravah

શ્રી મહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની ટુકવાડામાં મિટીંગ યોજાઈ : કારોબારીની રચના જાહેર કરાઈ

vartmanpravah

વલસાડની ૫ વર્ષીય બાળકી ઇન્ડિયાઝ ટોપ મોડેલ સીઝન -૩માં ૨ રનર્સ અપ

vartmanpravah

વાપી-ઉદવાડા સ્‍ટેશન વચ્‍ચે તા.17-18-19 અને 25 ઓક્‍ટોબરે બ્‍લોક : અમુક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

ગુજરાતમાં સૌ પ્રથમ પારડીના ઉમરસાડીમાં બની રહેલી ફલોટીંગ જેટીનું મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment