Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : 
દાદરા નગર હવેલી સર્વ આદિવાસી સમાજ દ્વારા આગામી 9મી ઓગસ્‍ટના દિને ‘વિશ્વ આદિવાસી દિવસ’ને સંયુક્‍ત રૂપે મનાવવા માટે સેલવાસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ અગાઉના સમયમાં આદિવાસી સમાજના ઢોડિયા, કુકણા અને વારલી સમાજ દ્વારા અલગ અલગ રીતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હતીજેથી આ વર્ષે નક્કી કરવામાં આવ્‍યું છે કે ખાનવેલ ચાર રસ્‍તાથી રેલી સ્‍વરૂપે નીકળી ખાનવેલ પંચાયત હોલ ખાતે સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે એક જ જગ્‍યા પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેનો મુખ્‍ય ઉદેશ્‍ય અન્‍ય સમાજોની જેમ આદિવાસી સમાજ દ્વારા પણ અલગ અલગ નહીં પણ એક જ જગ્‍યા પર ભેગા મળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. જેમા પ્રદેશના દરેક આદિવાસી સમાજના લોકોને ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે. આ કાર્યક્રમ માટે પ્રદેશના પદાધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

તાલુકા કક્ષાનો 73 મો વનમહોત્‍સ.વ રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્‍તો પારડી તાલુકાના ઉમરસાડીની જે. વી. બી. એસ હાઇસ્‍કૂ લ ખાતે યોજાયો

vartmanpravah

ધરમપુરનું એક એવુ સખી મંડળ કે જેની બહેનોએ આર્થિક સહાયથી ગૃહ ઉદ્યોગ નહી પરંતુ પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા

vartmanpravah

માનવતા મહેકાવતી પારડી હોસ્‍પિટલ: મોંઘી ગણાતી ઈ-પ્‍લાન્‍ટ સર્જરી બિલકુલ ફ્રીમાં કરી અપાતા પથારીવશ દર્દી થયો ચાલતો

vartmanpravah

આર.ટી.ઇ. એક્‍ટ અંતર્ગત ધોરણ 1માં બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ માટે તા.30મીથી ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ કલેક્‍ટરાલય ખાતે સીડીએસ બિપીન રાવત સહિતના દિવંગતો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના સામરવરણી ગાર્ડન સીટી ખાતે રક્‍ત કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment