Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : 
દાદરા નગર હવેલી સર્વ આદિવાસી સમાજ દ્વારા આગામી 9મી ઓગસ્‍ટના દિને ‘વિશ્વ આદિવાસી દિવસ’ને સંયુક્‍ત રૂપે મનાવવા માટે સેલવાસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ અગાઉના સમયમાં આદિવાસી સમાજના ઢોડિયા, કુકણા અને વારલી સમાજ દ્વારા અલગ અલગ રીતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હતીજેથી આ વર્ષે નક્કી કરવામાં આવ્‍યું છે કે ખાનવેલ ચાર રસ્‍તાથી રેલી સ્‍વરૂપે નીકળી ખાનવેલ પંચાયત હોલ ખાતે સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે એક જ જગ્‍યા પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેનો મુખ્‍ય ઉદેશ્‍ય અન્‍ય સમાજોની જેમ આદિવાસી સમાજ દ્વારા પણ અલગ અલગ નહીં પણ એક જ જગ્‍યા પર ભેગા મળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. જેમા પ્રદેશના દરેક આદિવાસી સમાજના લોકોને ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે. આ કાર્યક્રમ માટે પ્રદેશના પદાધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પુનઃ સ્‍થાપિત શિક્ષકને ત્રણ દિવસ શાળામાં હાજર ન કરતા વલસાડ કલેક્‍ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી

vartmanpravah

લઘુમતી સમાજના ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિની બેઠક રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના વાઈસ ચેરમેન કેરસી દેબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા કૂતરાઓની નિયમિત થતી નશબંધી છતાં સતત વધતી વસ્‍તી : નશબંધીના નામે તો નથી લખાતું ને નામું?

vartmanpravah

વાપી ચાણોદ કોલોની મહાકાળી મંદિરે વસંત પંચમીએ સરસ્‍વતી પૂજાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી જકાતનાકા-ફાટક રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરપાસ બનશે : કામગીરી માટે રોડ વન-વે થશે

vartmanpravah

વલસાડ રેલવે કોલોનીમાં પોલીસને ધર્માંતરણની માહિતી મળતા કાફલો ધસી ગયો

vartmanpravah

Leave a Comment