July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

ભારે વરસાદના કારણે આવેલ પુરમાં કેટલાક ગ્રામવાસીઓના રહેઠાણના પ્રમાણપત્ર, આવકના દાખલા, આધારકાર્ડ, રાશનકાર્ડ વગેરે દસ્‍તાવેજો પાણીમાં પલળી જતા અને ગુમ થતાં ફરી કાઢવા માટે પ્રશાસન દ્વારા કરાયેલા શિબિરના આયોજનથી આનંદની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં મહેસૂલ વિભાગ ખાનવેલ પંચાયત દ્વારા ભગતપાડામાં એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ખાનવેલ ભગતપાડા, તલાવલી, રૂદાના, ચિસદા ગામના પુર પીડિતોને તાત્‍કાલિક રાહત સુનિヘતિ કરવા માટે શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રહેઠાણનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, આધારકાર્ડ, રાશનકાર્ડ જેવા મહત્‍વપૂર્ણ દસ્‍તાવેજ પુરમાં તણાઈ ગયા હતા. જે સંદર્ભે મહેસૂલ વિભાગ ખાનવેલની ટીમે પિડીતોને કેટલાક મહત્‍વપૂર્ણ પ્રમાણપત્રના માટે અરજી કરવા મદદ કરવામાં આવી હતી. જેની તપાસ બાદ મહત્‍વપૂર્ણ પ્રમાણપત્ર પુર પીડિતો સુધી પહોંચાડવામાં આવશે. આ શિબિરમાં 62 અરજીઓ સ્‍વીકાર કરેલ અને 47 પુર પીડિતોને બાયોમેટ્રિક પ્રમાણીકરણના માધ્‍યમથી જગ્‍યા પર જ આધારકાર્ડ બનાવી આપવામાં આવ્‍યા હતા. આ વિશેષ શિબિરનું આયોજન કરવા પર પુર પીડિતોએ આ તત્‍કાલ રાહત માટે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને આ શિબિરમાટે પ્રશાસનનો પણ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

મુક્‍તિના 60 વર્ષ દરમિયાન દમણ-દીવે સામાજિક સાંસ્‍કૃતિક શૈક્ષણિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે મેળવેલી અનેરી સિદ્ધિ

vartmanpravah

દાનહના ગુલાબ રોહિત સહિત ડિરેક્‍ટરોની મુંબઈ મરીન ઇંસ્‍ટીટયુટમાં ટ્રેનિંગ

vartmanpravah

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

vartmanpravah

વલસાડ જિલ્લામાં 23 જૂન રવિવાર પોલીયો દિવસ અંતર્ગત સ્‍ટીયરીંગ કમિટીની મિટિંગ તથા વર્કશોપ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખ કોણ? રાજકીય સસ્‍પેન્‍સનો અંત : નવા હોદ્દેદારો જાહેર

vartmanpravah

યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્માએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો વ્‍યક્‍ત કરેલો આભાર

vartmanpravah

Leave a Comment