Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

ભારે વરસાદના કારણે આવેલ પુરમાં કેટલાક ગ્રામવાસીઓના રહેઠાણના પ્રમાણપત્ર, આવકના દાખલા, આધારકાર્ડ, રાશનકાર્ડ વગેરે દસ્‍તાવેજો પાણીમાં પલળી જતા અને ગુમ થતાં ફરી કાઢવા માટે પ્રશાસન દ્વારા કરાયેલા શિબિરના આયોજનથી આનંદની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં મહેસૂલ વિભાગ ખાનવેલ પંચાયત દ્વારા ભગતપાડામાં એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ખાનવેલ ભગતપાડા, તલાવલી, રૂદાના, ચિસદા ગામના પુર પીડિતોને તાત્‍કાલિક રાહત સુનિヘતિ કરવા માટે શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રહેઠાણનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, આધારકાર્ડ, રાશનકાર્ડ જેવા મહત્‍વપૂર્ણ દસ્‍તાવેજ પુરમાં તણાઈ ગયા હતા. જે સંદર્ભે મહેસૂલ વિભાગ ખાનવેલની ટીમે પિડીતોને કેટલાક મહત્‍વપૂર્ણ પ્રમાણપત્રના માટે અરજી કરવા મદદ કરવામાં આવી હતી. જેની તપાસ બાદ મહત્‍વપૂર્ણ પ્રમાણપત્ર પુર પીડિતો સુધી પહોંચાડવામાં આવશે. આ શિબિરમાં 62 અરજીઓ સ્‍વીકાર કરેલ અને 47 પુર પીડિતોને બાયોમેટ્રિક પ્રમાણીકરણના માધ્‍યમથી જગ્‍યા પર જ આધારકાર્ડ બનાવી આપવામાં આવ્‍યા હતા. આ વિશેષ શિબિરનું આયોજન કરવા પર પુર પીડિતોએ આ તત્‍કાલ રાહત માટે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને આ શિબિરમાટે પ્રશાસનનો પણ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વાપી-વલસાડ સહિત જિલ્લામાં મધરાતે ગાજવીજ કડાકા સાથે તોફાની વરસાદ પડયો

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અમૃત કળશ યાત્રા લઈ પારડી ખાતે પધાર્યા

vartmanpravah

દાનહના ડોકમરડી ખાતે ભારત સ્‍કાઉટ ગાઈડના બેઝિક લીડરશીપ પ્રશિક્ષણ શિબિરનું સમાપનઃ દાનહની વિવિધ શાળાઓના 39 શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાના માતૃશ્રીનું નિધન

vartmanpravah

ભારતમાં પ્રથમવાર વલસાડની કુસુમ વિદ્યાલય દ્વારા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં “સાયકલ 2 સ્કૂલ”નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બેંક અને એટીએમની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને દીવની બેંકોએ, બેંકો અને એટીએમ પર 24 કલાક સુરક્ષા ગાર્ડ તૈનાત કરવા કલેક્‍ટર સલોની રાયનો આદેશ

vartmanpravah

Leave a Comment