March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

ભારે વરસાદના કારણે આવેલ પુરમાં કેટલાક ગ્રામવાસીઓના રહેઠાણના પ્રમાણપત્ર, આવકના દાખલા, આધારકાર્ડ, રાશનકાર્ડ વગેરે દસ્‍તાવેજો પાણીમાં પલળી જતા અને ગુમ થતાં ફરી કાઢવા માટે પ્રશાસન દ્વારા કરાયેલા શિબિરના આયોજનથી આનંદની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં મહેસૂલ વિભાગ ખાનવેલ પંચાયત દ્વારા ભગતપાડામાં એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ખાનવેલ ભગતપાડા, તલાવલી, રૂદાના, ચિસદા ગામના પુર પીડિતોને તાત્‍કાલિક રાહત સુનિヘતિ કરવા માટે શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રહેઠાણનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, આધારકાર્ડ, રાશનકાર્ડ જેવા મહત્‍વપૂર્ણ દસ્‍તાવેજ પુરમાં તણાઈ ગયા હતા. જે સંદર્ભે મહેસૂલ વિભાગ ખાનવેલની ટીમે પિડીતોને કેટલાક મહત્‍વપૂર્ણ પ્રમાણપત્રના માટે અરજી કરવા મદદ કરવામાં આવી હતી. જેની તપાસ બાદ મહત્‍વપૂર્ણ પ્રમાણપત્ર પુર પીડિતો સુધી પહોંચાડવામાં આવશે. આ શિબિરમાં 62 અરજીઓ સ્‍વીકાર કરેલ અને 47 પુર પીડિતોને બાયોમેટ્રિક પ્રમાણીકરણના માધ્‍યમથી જગ્‍યા પર જ આધારકાર્ડ બનાવી આપવામાં આવ્‍યા હતા. આ વિશેષ શિબિરનું આયોજન કરવા પર પુર પીડિતોએ આ તત્‍કાલ રાહત માટે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને આ શિબિરમાટે પ્રશાસનનો પણ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડમાં બે દિવસથી આતંક મચાવતો ગાંડોતુર આખલો અંતે પાલિકાએ પાંજરે પુર્યો

vartmanpravah

ચીખલી તાલુકામાં સતત વરસાદને પગલે પોલ્‍ટ્રી ફાર્મ, ઘર અને શાળાની દિવાલ ધરાશાયી

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત મહારાજ જયંતિ ઉજવાઈ

vartmanpravah

રવિવારે દાનહના કરચોંડ ઘાટ ઉપર ખાનગી બસની બ્રેક ફેઈલ થતાં અકસ્‍માતમાં ક્‍લીનરનું ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

વલસાડમાં યોજાયેલ મેરેથોનમાં અતુલ કંપનીનાં કર્મચારીઓએ ભાગ લીધો

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah

Leave a Comment