June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગૃહમંત્રી અમિત શાહના અધ્‍યક્ષસ્‍થાને ગાંધીનગરમાં 28મી ઓગસ્‍ટે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક યોજાશે

કપરાડા તાલુકાના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામને સંઘપ્રદેશમાં સામેલ કરવા અંગે ગાંધીનગરમાં મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીને અડીનેઆવેલા ચાર ગામને સંઘપ્રદેશમાં જોડવા અંગે આગામી તા.28 ઓગસ્‍ટના રોજ ગાંધીનગરમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની મીટિંગ યોજાનાર છે. છેલ્લા આઠ વર્ષથી આ મામલે રજૂઆત અને વિરોધ સ્‍થાનિક લેવલે થઈ રહ્યો છે. તેથી ગાંધીનગરમાં મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે તેવી માહિતી સાંપડી છે.
આગામી તા.28મી ઓગસ્‍ટના રોજ ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્‍યક્ષતામાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક યોજાનાર છે. પશ્ચિમ ભારતના ત્રણ રાજ્‍યો અને સંઘપ્રદેશની બેઠક યોજાશે. જેમાં મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામોને સંઘપ્રદેશમાં જોડવાનો અંતિમ નિર્ણય લેવાય તેવી સંભાવના છે. આ ચારેય ગામોનો કેટલોક હિસ્‍સો દાદરા નગર હવેલીની સરહદે છે. આ બોર્ડર વિલેજના ચાર ગામોને સંઘપ્રદેશમાં ભેળવવા અંગે આઠ વર્ષથી માંગણીઓ થઈ રહી છે. કારણ કે સ્‍થાનિક વહેવાર દાનહ સાથે સંકળાયેલો છે. તેમજ દારૂબંધી હટી જાય તો પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થઈ શકે એમ છે. હાલ દારૂબંધીને લઈ વિકાસ અટક્‍યો છે. જો કે આમાં મત મતાંતર પણ ચાલી રહ્યા છે. મેઘવાળ જેવા ગામ જોડાવા નથી ઈચ્‍છતા બીજુ ગુજરાતના નકશામાં પણ ફેરફાર થશે. સ્‍થાનિક લોકોના મહેસુલી પ્રશ્નો પણ ઉભા થશે. જેવી અડચણો પણ છે. તેથી જટીલ મુદ્દો ઉકેલવો અઘરો છે. જોવુંએ રહ્યું કે, 28મી ઓગસ્‍ટની મીટિંગમાં આખરી નિર્ણય શું આવે છે.

Related posts

જિલ્લા કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે તા.4થી માર્ચે સખીમંડળના પ્રોડક્‍ટ્‍સના પ્રદર્શન-વેચાણ મેળાને ખુલ્લો મુકશે

vartmanpravah

બીલીમોરાની આઈસ ફેક્‍ટરીમાં એમોનિયાસ ગેસ લીકેજ તથા અફરા તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિનો સંઘપ્રદેશ પ્રવાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું બોલેલું કામ

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસે 10 જેટલા ગુનેગારોને હિસ્‍ટ્રીશીટર ઘોષિત કર્યા

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત દીવમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્માએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો વ્‍યક્‍ત કરેલો આભાર

vartmanpravah

Leave a Comment