September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ઇતિહાસમાં પહેલી વખત સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણી ખાનવેલમાં કરાશેઃ સંઘપ્રદેશના પ્રશાસક તિરંગો લહેરાવશે

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલેપ્રદેશના સમતોલ અને સર્વાંગી વિકાસને આપેલી પ્રાથમિકતા અંતર્ગત બહુમતિ આદિવાસી વસતી ધરાવતું ખાનવેલ સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણીનું સાક્ષી બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલીના ઇતિહાસમાં પહેલી વખત પ્રદેશ સ્‍તરના સ્‍વાતંત્ર્ય દિવસની ઉજવણી ખાનવેલ ખાતે થવા જઈ રહી છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશના સમતોલ અને સર્વાંગી વિકાસને આપેલી પ્રાથમિકતા અંતર્ગત બહુમતિ આદિવાસી વસતી ધરાવતા ખાનવેલ ખાતે 76મા સ્‍વાતંત્ર્ય દિવસની ઉજવણી ખાનવેલ ખાતે કરવાનું નક્કી કર્યું છે.
15મી ઓગસ્‍ટ, 2023ના રોજ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ખાનવેલ ખાતે પધારવાના હોવાથી ખાનવેલ, માંદોની, સિંદોની, દૂધની, દપાડા વગેરે આદિવાસી વિસ્‍તારના લોકો પણ સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા મોટી સંખ્‍યામાં ઉમટી પડે એવી શક્‍યતા જોવાઈ રહી છે.

 

દમણમાં 15મી ઓગસ્‍ટ, સ્‍વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ મોટી દમણ લાઈટ હાઉસ બીચ ખાતે સવારે 9:00 વાગ્‍યે યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : દમણમાં 15મી ઓગસ્‍ટ, સ્‍વતંત્રતા દિવસની ઉજવણી મોટી દમણ લાઈટ હાઉસ બીચ ખાતે સવારે 9:00 વાગ્‍યે નિર્ધારિત હોવાની જાણકારી ડેપ્‍યુટી કલેક્‍ટર (જનરલ) શ્રીપ્રિયાંશુ સિંઘે એક અખબારી યાદીમાં આપી છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્‍ટરે ઉપસ્‍થિત રહેવા માટે તમામ નાગરિકોને જાહેર આમંત્રણ પણ પાઠવ્‍યું છે.

Related posts

વલસાડ જુજવા ગામે એસ.આર.પી. જવાનની કારે બાઈકને ટક્કર મારી દેતા માતા-પૂત્ર અને જવાન અકસ્‍માતમાં ઘાયલ

vartmanpravah

સંઘપ્રદેશમાં થર્ટીફર્સ્‍ટની ઉજવણી માટે આનંદ અને રોમાંચનો માહોલઃ વીક એન્‍ડ હોવાથી દમણ-દીવમાં પ્રવાસીઓના ઉતરનારા ધાડેધાડા

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા 15મી ઓગસ્‍ટે સ્‍વતંત્રતા દિન સમારંભ મોટી દમણ લાઈટ હાઉસ બીચ ખાતે યોજાશેઃ 9 વાગ્‍યે ધ્‍વજારોહણ

vartmanpravah

વલસાડથી વાપી હાઈવે ઉપર વરસાદી ખાડા યમરાજ બન્‍યા : જુદા જુદા ત્રણ અકસ્‍માત થયા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ કલેક્‍ટરાલય ખાતે સીડીએસ બિપીન રાવત સહિતના દિવંગતો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને મર્યાદિત છૂટછાટો સાથે ગણેશ મહોત્સવને આપેલી પરવાનગી: ગણેશભક્તો આનંદ-વિભોર

vartmanpravah

Leave a Comment