સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલેપ્રદેશના સમતોલ અને સર્વાંગી વિકાસને આપેલી પ્રાથમિકતા અંતર્ગત બહુમતિ આદિવાસી વસતી ધરાવતું ખાનવેલ સ્વતંત્રતા દિવસની પ્રદેશ સ્તરની ઉજવણીનું સાક્ષી બનશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલીના ઇતિહાસમાં પહેલી વખત પ્રદેશ સ્તરના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખાનવેલ ખાતે થવા જઈ રહી છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશના સમતોલ અને સર્વાંગી વિકાસને આપેલી પ્રાથમિકતા અંતર્ગત બહુમતિ આદિવાસી વસતી ધરાવતા ખાનવેલ ખાતે 76મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખાનવેલ ખાતે કરવાનું નક્કી કર્યું છે.
15મી ઓગસ્ટ, 2023ના રોજ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ખાનવેલ ખાતે પધારવાના હોવાથી ખાનવેલ, માંદોની, સિંદોની, દૂધની, દપાડા વગેરે આદિવાસી વિસ્તારના લોકો પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે એવી શક્યતા જોવાઈ રહી છે.
દમણમાં 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ મોટી દમણ લાઈટ હાઉસ બીચ ખાતે સવારે 9:00 વાગ્યે યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : દમણમાં 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણી મોટી દમણ લાઈટ હાઉસ બીચ ખાતે સવારે 9:00 વાગ્યે નિર્ધારિત હોવાની જાણકારી ડેપ્યુટી કલેક્ટર (જનરલ) શ્રીપ્રિયાંશુ સિંઘે એક અખબારી યાદીમાં આપી છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે ઉપસ્થિત રહેવા માટે તમામ નાગરિકોને જાહેર આમંત્રણ પણ પાઠવ્યું છે.