Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદના પી.એ. સહિત 4ના રિમાન્‍ડ લંબાવાયાઃ પાંચ આરોપીઓને જ્‍યુડિશિયલ કસ્‍ટડી

દાનહ સાંસદના પી.એ. ગૌરાંગ સુરમા, આદિવાસી વિકાસ સંગઠનના સસ્‍પેન્‍ડ થયેલા મેનેજમેન્‍ટ માટે કામ કરતા ઈસ્‍લામ અલીની ચોરી પ્રકરણમાં મહત્ત્વની ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં ઉજાગર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સમગ્ર સંઘપ્રદેશમાં ચર્ચાના ચકડોળે ચડેલા દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો અને ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ આદિવાસી ભવનમાંથી ચોરી પ્રકરણમાં આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં નામદાર કોર્ટે ગૌરાંગ સુરમા, ઈસ્‍લામ અલી, જીતેન્‍દ્ર પટેલ અને દલપત પટેલને 9મી તારીખ સુધીના પોલીસ રિમાન્‍ડ આપવામાં આવ્‍યા છે. જ્‍યારે ધરપકડ કરાયેલા અન્‍ય પાંચ આરોપીઓને જ્‍યુડિશિયલ કસ્‍ટડીમાં ધકેલવામાં આવ્‍યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આદિવાસી વિકાસ સંગઠનની દસ્‍તાવેજોની ચોરીના ગુનામાં દાનહ સાંસદના પી.એ. ગૌરાંગ સુરમા અને સસ્‍પેન્‍ડ થયેલા આદિવાસી વિકાસ સંગઠનનામેનેજમેન્‍ટ માટે કામ કરતા ઈસ્‍લામ અલી શેખની ભૂમિકા મહત્ત્વની હોવાનું પોલીસની પ્રારંભિક તપાસમાં બહાર આવ્‍યું છે.
દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો અને ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસની ચોરીનો મુદ્દો ખુબ જ સંવેદનશીલ હોવાથી પોલીસ તંત્ર પણ સંપૂર્ણ તકેદારી સાથે પોતાની ફરજ બજાવી રહ્યું છે અને આવતા દિવસોમાં મોટો ઘટસ્‍ફોટ થવાની શક્‍યતા નકારાતી નથી.

Related posts

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

vartmanpravah

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સિમલાથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે : દમણમાં પણ યોજાશે સમાંતર કાર્યક્રમ

vartmanpravah

નાના વાઘછીપામાં નહેરમાં વૃદ્ધા પડતા મોત

vartmanpravah

વાપીના વિવિધ વિકાસ કામોને વધુ વેગથી પુરા કરવા પાલિકાની ટીમ ગાંધીનગર પહોંચી

vartmanpravah

દેગામમાં પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે સ્‍મશાનગૃહનું ખાતમુહૂર્ત સંપન્ન

vartmanpravah

સી.આર. પાટીલના ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે બે વર્ષ પૂર્ણ : વાપી ભાજપે કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment