Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વંકાલમાં માટી ખનનના ઈરાદે તળાવની પાળ તોડી નાંખતા પૂર્વ સરપંચે ટીડીઓ સહિત કલેક્‍ટરને આવેદન આપી તપાસની કરેલી માંગ

સરકારી તળાવમાં વેસ્‍ટ વિયરની વ્‍યવસ્‍થા હોવા છતાં ગેરકાયદેસર રીતે પાળ તોડી નાંખતા નાળામાંથી વહેતા પાણીને અટકાવવા માટે પૂર્વ સરપંચ સહિત સ્‍થાનિકોની લેખિત રજૂઆત બાદ જિલ્લા કલેક્‍ટર દ્વારા તપાસનો આદેશ કરાતા મામલતદાર, ટીડીઓ સહિતના સ્‍ટાફે તાબડતોબ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.10: વંકાલ ગામના પૂર્વ સરપંચ વાસંતીબેન ઉપરાંત દીપકભાઈ સહિતનાસ્‍થાનિકો મોટી સંખ્‍યામાં ધસી જઈ જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્‍યું છે કે વંકાલ ગામના વાણીયા તળાવ ફળિયામાં બ્‍લોક નંબર 2276 માં આવેલ સરકારી તળાવમાં મોટી માત્રામાં વરસાદી પાણીનો સંગ્રહ થયો હતો પરંતુ થોડા દિવસો પહેલા તળિયાથી આશરે બે ફૂટની ઊંચાઈએથી નાળા નાખવામાં આવેલ છે. તેમાંથી પાણીનો નિકાલ થઈ રહ્યો છે સરકારની યોજનામાંથી વેસ્‍ટ વીયરની વ્‍યવસ્‍થા છતાં ગેરકાયદેસર પાળ તોડી નાળા નાખવામાં આવેલ હોય પાણીનો નિકાલ થઈ રહેલ છે.
તળાવમાં પૂરતા પ્રમાણમાં પાણીના સંગ્રહથી વાણીયા તળાવ, સુંદર ફળીયા, નાળિયેરી મોહલ્લા સહિતના વિસ્‍તારમાં બોર કૂવામાં પાણીના સ્‍તર જળવાઈ રહેતા માનવજાત અને પશુઓને આખી સિઝન પાણી મળી રહે છે.
ચોમાસા બાદ તળાવ ઝડપથી સુકાઈ જાય અને માટી ખનનના ઈરાદે પૂર્વ આયોજનના ભાગરૂપે તળાવના તળિયામાંથી પાણીનો નિકાલ કરવાનો હોય તેમ લાગે છે. ગ્રામ પંચાયત દ્વારા પાણીનો થતો વ્‍યય અટકાવવો જોઈએ. આ પાણી વહી જતું અટકાવી પાણીના નિકાલ માટે આરસીસીના નાળા કોણે નાખ્‍યા તેની તપાસ કરાવી જવાબદારી નક્કી કરી પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ પૂર્વે ગ્રામજનો દ્વારા મામલતદાર ટીડીઓ અને પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરી હતીપરંતુ જિલ્લા કલેકટરના આદેશ બાદ ટીડીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓ તાબડતોડ વંકાલ ગામે તળાવ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ પૂર્વે સ્‍થાનિક જાગૃત નાગરિક દ્વારા મામલતદારનું ધ્‍યાન દોરવામાં આવ્‍યું હતું. પરંતુ સરકારી તળાવમાંથી પાણીના વ્‍યય બાબતે મામલતદાર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી ન હતી. અખબારી અહેવાલ બાદ પણ કોઈ જ તપાસ ન કરનાર અધિકારીઓ કલેકટરના આદેશ બાદ સફાળા જાગી સ્‍થળ પર પહોંચી ગયા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકની થયેલ તારાજી અંગે નુકશાન સર્વે પૂર્ણ કરાયો

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલમાં દીપોત્‍સવઃ વિદ્યાર્થીઓએ કરેલું શ્રી રામચરિત માનસનું પઠન

vartmanpravah

વલસાડ જિલ્લાની પ બેઠક પર ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયામાં 38 ફોર્મ મંજૂર, 21 રદ્‌

vartmanpravah

દમણ જિલ્લામાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા આપવામાં આવેલું સામાજિક ઓડિટ ઉપર જોર

vartmanpravah

પારડી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રામાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૩.૭૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરાયું

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલી ખાસ સામાન્‍ય સભા: 15મા નાણાંપંચના વર્ષ 2020-’21 અને 2021-’22ના રૂા.7 કરોડના બજેટને આપેલી બહાલી

vartmanpravah

Leave a Comment