April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વંકાલમાં માટી ખનનના ઈરાદે તળાવની પાળ તોડી નાંખતા પૂર્વ સરપંચે ટીડીઓ સહિત કલેક્‍ટરને આવેદન આપી તપાસની કરેલી માંગ

સરકારી તળાવમાં વેસ્‍ટ વિયરની વ્‍યવસ્‍થા હોવા છતાં ગેરકાયદેસર રીતે પાળ તોડી નાંખતા નાળામાંથી વહેતા પાણીને અટકાવવા માટે પૂર્વ સરપંચ સહિત સ્‍થાનિકોની લેખિત રજૂઆત બાદ જિલ્લા કલેક્‍ટર દ્વારા તપાસનો આદેશ કરાતા મામલતદાર, ટીડીઓ સહિતના સ્‍ટાફે તાબડતોબ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.10: વંકાલ ગામના પૂર્વ સરપંચ વાસંતીબેન ઉપરાંત દીપકભાઈ સહિતનાસ્‍થાનિકો મોટી સંખ્‍યામાં ધસી જઈ જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્‍યું છે કે વંકાલ ગામના વાણીયા તળાવ ફળિયામાં બ્‍લોક નંબર 2276 માં આવેલ સરકારી તળાવમાં મોટી માત્રામાં વરસાદી પાણીનો સંગ્રહ થયો હતો પરંતુ થોડા દિવસો પહેલા તળિયાથી આશરે બે ફૂટની ઊંચાઈએથી નાળા નાખવામાં આવેલ છે. તેમાંથી પાણીનો નિકાલ થઈ રહ્યો છે સરકારની યોજનામાંથી વેસ્‍ટ વીયરની વ્‍યવસ્‍થા છતાં ગેરકાયદેસર પાળ તોડી નાળા નાખવામાં આવેલ હોય પાણીનો નિકાલ થઈ રહેલ છે.
તળાવમાં પૂરતા પ્રમાણમાં પાણીના સંગ્રહથી વાણીયા તળાવ, સુંદર ફળીયા, નાળિયેરી મોહલ્લા સહિતના વિસ્‍તારમાં બોર કૂવામાં પાણીના સ્‍તર જળવાઈ રહેતા માનવજાત અને પશુઓને આખી સિઝન પાણી મળી રહે છે.
ચોમાસા બાદ તળાવ ઝડપથી સુકાઈ જાય અને માટી ખનનના ઈરાદે પૂર્વ આયોજનના ભાગરૂપે તળાવના તળિયામાંથી પાણીનો નિકાલ કરવાનો હોય તેમ લાગે છે. ગ્રામ પંચાયત દ્વારા પાણીનો થતો વ્‍યય અટકાવવો જોઈએ. આ પાણી વહી જતું અટકાવી પાણીના નિકાલ માટે આરસીસીના નાળા કોણે નાખ્‍યા તેની તપાસ કરાવી જવાબદારી નક્કી કરી પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ પૂર્વે ગ્રામજનો દ્વારા મામલતદાર ટીડીઓ અને પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરી હતીપરંતુ જિલ્લા કલેકટરના આદેશ બાદ ટીડીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓ તાબડતોડ વંકાલ ગામે તળાવ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ પૂર્વે સ્‍થાનિક જાગૃત નાગરિક દ્વારા મામલતદારનું ધ્‍યાન દોરવામાં આવ્‍યું હતું. પરંતુ સરકારી તળાવમાંથી પાણીના વ્‍યય બાબતે મામલતદાર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી ન હતી. અખબારી અહેવાલ બાદ પણ કોઈ જ તપાસ ન કરનાર અધિકારીઓ કલેકટરના આદેશ બાદ સફાળા જાગી સ્‍થળ પર પહોંચી ગયા હતા.

Related posts

આજે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતે ચોતરા બેઠક દ્વારા સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃતિ ફેલાવવા શરૂ કરેલો નવતર પ્રયોગ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકમાં શિવસેનાની ‘એક સાંધે ત્‍યાં તેર તૂટે’ જેવી સ્‍થિતિઃ તમામ માટે સમાન તક

vartmanpravah

પારડી હાઈવે ખડકી બ્રિજ પાસે રીક્ષા-બાઈક વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

Leave a Comment