October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વંકાલમાં માટી ખનનના ઈરાદે તળાવની પાળ તોડી નાંખતા પૂર્વ સરપંચે ટીડીઓ સહિત કલેક્‍ટરને આવેદન આપી તપાસની કરેલી માંગ

સરકારી તળાવમાં વેસ્‍ટ વિયરની વ્‍યવસ્‍થા હોવા છતાં ગેરકાયદેસર રીતે પાળ તોડી નાંખતા નાળામાંથી વહેતા પાણીને અટકાવવા માટે પૂર્વ સરપંચ સહિત સ્‍થાનિકોની લેખિત રજૂઆત બાદ જિલ્લા કલેક્‍ટર દ્વારા તપાસનો આદેશ કરાતા મામલતદાર, ટીડીઓ સહિતના સ્‍ટાફે તાબડતોબ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.10: વંકાલ ગામના પૂર્વ સરપંચ વાસંતીબેન ઉપરાંત દીપકભાઈ સહિતનાસ્‍થાનિકો મોટી સંખ્‍યામાં ધસી જઈ જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્‍યું છે કે વંકાલ ગામના વાણીયા તળાવ ફળિયામાં બ્‍લોક નંબર 2276 માં આવેલ સરકારી તળાવમાં મોટી માત્રામાં વરસાદી પાણીનો સંગ્રહ થયો હતો પરંતુ થોડા દિવસો પહેલા તળિયાથી આશરે બે ફૂટની ઊંચાઈએથી નાળા નાખવામાં આવેલ છે. તેમાંથી પાણીનો નિકાલ થઈ રહ્યો છે સરકારની યોજનામાંથી વેસ્‍ટ વીયરની વ્‍યવસ્‍થા છતાં ગેરકાયદેસર પાળ તોડી નાળા નાખવામાં આવેલ હોય પાણીનો નિકાલ થઈ રહેલ છે.
તળાવમાં પૂરતા પ્રમાણમાં પાણીના સંગ્રહથી વાણીયા તળાવ, સુંદર ફળીયા, નાળિયેરી મોહલ્લા સહિતના વિસ્‍તારમાં બોર કૂવામાં પાણીના સ્‍તર જળવાઈ રહેતા માનવજાત અને પશુઓને આખી સિઝન પાણી મળી રહે છે.
ચોમાસા બાદ તળાવ ઝડપથી સુકાઈ જાય અને માટી ખનનના ઈરાદે પૂર્વ આયોજનના ભાગરૂપે તળાવના તળિયામાંથી પાણીનો નિકાલ કરવાનો હોય તેમ લાગે છે. ગ્રામ પંચાયત દ્વારા પાણીનો થતો વ્‍યય અટકાવવો જોઈએ. આ પાણી વહી જતું અટકાવી પાણીના નિકાલ માટે આરસીસીના નાળા કોણે નાખ્‍યા તેની તપાસ કરાવી જવાબદારી નક્કી કરી પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ પૂર્વે ગ્રામજનો દ્વારા મામલતદાર ટીડીઓ અને પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરી હતીપરંતુ જિલ્લા કલેકટરના આદેશ બાદ ટીડીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓ તાબડતોડ વંકાલ ગામે તળાવ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ પૂર્વે સ્‍થાનિક જાગૃત નાગરિક દ્વારા મામલતદારનું ધ્‍યાન દોરવામાં આવ્‍યું હતું. પરંતુ સરકારી તળાવમાંથી પાણીના વ્‍યય બાબતે મામલતદાર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી ન હતી. અખબારી અહેવાલ બાદ પણ કોઈ જ તપાસ ન કરનાર અધિકારીઓ કલેકટરના આદેશ બાદ સફાળા જાગી સ્‍થળ પર પહોંચી ગયા હતા.

Related posts

પારડી પોલીસ સ્‍ટેશન અને કોર્ટ વચ્‍ચે બનાવેલ પિકઅપ બસ સ્‍ટેન્‍ડ પાછળથી શંકાસ્‍પદ લાશ મળતા અનેક તર્ક વિતર્ક

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી.મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલે દમણ ખાતે ક્ષેત્રિય પંચાયત પરિષદમાં ઉપસ્‍થિત રહેલા ભાજપના રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષ સાથે કરેલી પ્રાસંગિક મુલાકાત.

vartmanpravah

દાનહઃ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરીના ગુનામાં સાંસદના પી.એ.ગૌરાંગ સુરમા, સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષકમલેશ પટેલ સહિત 4ની ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના જન પ્રતિનિધિઓની ત્રિ-દિવસીય એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળા સંપન્ન

vartmanpravah

વાપી નજીક બલીઠા પાસે વંદે ભારત ટ્રેન સામે ગાય આવી જતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

પ્રદેશ ભાજપના પ્રભારી વિનોદ સોનકરની પ્રદેશના યુવા આદિવાસી નેતા સની ભીમરાએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment