Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગેરકાયદે આયુર્વેદિક ક્‍લિનિક ચલાવતા બોગસ તબીબની ધરપકડ

માનવ જીંદગી અને સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કરનાર બોગસ
તબીબ મણી બીરેન પાંડે ઝડપાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી બજાર ગાંધી સર્કલ નજીક આવેલ શીતલ એપાર્ટમેન્‍ટમાં સાંઈ સંધા ક્‍લિનિકના નામે ગેરકાયદે આયુર્વેદિક દવાખાનું ચલાવતો બોગસ તબીબ જી.પં. આયુર્વેદ વિભાગની ફરિયાદ આધારે તપાસ હાથ ધરાતા ઝડપાઈ ગયો હતો.
વાપી વૈશાલી સિનેમા નજીક ભારતી એપાર્ટમેન્‍ટમાં રહેતો મણીશંકર બીરેન પાંડે વાપી ગાંધી સર્કલ પાસે શીતલ એપાર્ટમેન્‍ટમાં સાંઈ સંધા ક્‍લિનિક ગેરકાયદે ચલાવતો હતો. જેની પોલીસે ધરપકડ કરી છે. જેની ટૂંકી વિગતો મુજબ સલવાવ આયુર્વેદિક દવાખાનામાં ફરજ બજાવતા ડો.સ્‍વાતિ પંચાલને જિલ્લા પંચાયત આયુર્વેદિક કચેરી અધિકારીએ સુચના આપી હતી કે વાપીમાં સાંઈ સંધા ક્‍લિનિક નામથી ગેરકાયદે પ્રેક્‍ટીશ કરી રહેલ બોગસ તબીબ મણીશંકર બીરેન પાંડેની તપાસ કરી યોગ્‍ય કાર્યવાહી કરવી. હૂકમ બાદ ડો.સ્‍વાતિ પંચાલે યુપીએસસી ડુંગરામેડિકલ ઓફિસર અને ટાઉન પોલીસ સાથે તપાસ હાથ ધરી હતી. જેમાં જરૂરી પ્રમાણપત્રો માંગવામાં આવ્‍યા હતા. જે તબીબ રજૂ કરી શકેલ નહીં તેથી 43384 રૂા.નો દવાઓ સાથેનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આરોગ્‍ય વિભાગની તપાસ બાદ જોલાછાપ અન્‍ય ડોક્‍ટોરમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો હતો.

Related posts

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજની 160 તેજસ્‍વી પ્રતિભાવોનું કરાયું સન્‍માન

vartmanpravah

વાપીમાં ડેન્‍ગ્‍યુને અટકાવવા આરોગ્‍ય વિભાગની સઘન ઝુંબેશઃ 73 હજાર મકાનોમાં તપાસ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘થીમ એન્‍ડ બિઝકિડ્‍સ બજાર’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો 40મો વાર્ષિક ઉત્‍સવની ભવ્‍ય તૈયારી શરૂ : ત્રણ થીમ ઉપર ઉજવાશે ઉત્‍સવ

vartmanpravah

Leave a Comment