Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વસુંધરા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વૈદુ ભગત ઉજવણી મનાલા ખાતે યોજાયો

(સંજય તાડા દ્વારા)
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: કપરાડા તાલુકાના મનાલા ગામ ખાતે વસુંધરા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આદિવાસી પરંપરાગત વૈદુંભાગતો દ્વારા વૈદું વનસ્‍પતિ ભગત ઉજવી મનાલા આલય ફળિયા મગળભાઈ ધૂમ નાં ઘરે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ વૈદ ભગત ઉજવણી કરવાનો મુખ્‍ય ઉદ્દેશ કે આપડી આદિ અનાદીકાળની વનસ્‍પતિનું જતન કેવી રીતે થાય અને ભક્‍તોને આ વનસ્‍પતિ સમજણ થાય એક બીજાને આદાન પ્રદાન થાય એ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સાઈનાથ હોસ્‍પિટલના ડો.હેમંતભાઈ પટેલ, કારોબારી અધ્‍યક્ષ ગુલાબભાઈ રાઉત, બાયફ કપરાડાના ઓફિસર નીતિનભાઈ જી. સાઠે, પશુ દવાખાનાના ડો.દિનેશભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા ત્રિલોક યાદવની, વલસાડ જિલ્લા યુવા મોરચા ઉપાધ્‍યક્ષ કિરણભાઈ ભોયા, ગામના અગ્રણી જયેન્‍દ્રભાઈ ગાંવિત, વસુંધરા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી સોન્‍યભાઈ ગાયકવાડ, ટ્રસ્‍ટના પ્રમુખ ઈશ્વરભાઈ ગાયકવાડ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા વૈદું ભાગતો જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

આજે દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પંચાયત ઘરોનું ભૂમિપૂજન કરશે

vartmanpravah

વલસાડમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે : 1ર વિવિધ સમાજના 154 જોડા પ્રભુતામાં પગલાં પાડશે :સમૂહ લગ્નમાં મુખ્‍યમંત્રી સહિત પ્રધાનો અને મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

દાદરા નગર હવેલી સ્‍વાસ્‍થ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા નાના બાળકોને પોલિયોપીવડાવવામાં આવ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સેલવાસ અને ખાનવેલમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment