August 8, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

આદિવાસી ભવનમાંકોમ્‍પ્‍યુટર ક્‍લાસિસ શરૂ કરવા સાથે વિવિધ દુકાનો સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને તેમની પ્રોડક્‍ટના વેચાણ માટે આપવા પણ આયોજન

સેલવાસ આદિવાસી ભવન ઉપર વર્ષોથી ચાલી રહેલા એક જ પરિવારના રાજ અને કબ્‍જા સામે પ્રશાસનની સખત નારાજગીઃ સમસ્‍ત આદિવાસી સમાજને સેલવાસ આદિવાસી ભવનના માલિક બનાવવા નિર્ધાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે આવતા દિવસોમાં સેલવાસના આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, 20 પંચાયતોમાંથી નવયુવાનો અને અનુભવી આદિવાસીઓના હાથમાં આદિવાસી ભવનનું સંચાલન સુપ્રત કરાશે.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે આદિવાસી સમુદાયને ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આ મિલકત તમારી છે, તમારા માટે છે, આ મિલકતનો ભરપુર ઉપયોગ કરજો. તેમણે આદિવાસી ભવનમાં કોમ્‍પ્‍યુટર ક્‍લાસિસ શરૂ કરવાની યોજનાની પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આદિવાસી ભવનમાં દાદરા નગર હવેલીની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને સિવણ વર્ક, ગુંથણ, ભરતકામ જેવા કામો કરવા અને પોતાનો માલ વેચવા દુકાન આપવાના આયોજનની પણ જાણકારી આપી હતી.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલીનાઆદિવાસી સમાજના દિકરા-દિકરીઓના લગ્ન માટે આદિવાસી ભવન ફક્‍ત રૂપિયા 100, 200 કે પ00ના ખર્ચથી આપી ડેસ્‍ટિનેશન વેડિંગનો શોખ પુરો કરી શકવાની સમજણ પણ આપી હતી.
અત્રે યાદ રહે કે, ભૂતકાળમાં આદિવાસી ભવનનું સંચાલન બિન આદિવાસી દ્વારા કરાતું હતું. આદિવાસી ભવનના મેનેજર તરીકે મોટા ભાગે બિન આદિવાસી વ્‍યક્‍તિની પસંદગી કરવામાં આવતી હતી અને આદિવાસી ભવન ઉપર ફક્‍ત એક પરિવારનું રાજ હતું તેની જગ્‍યાએ પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલીના સમસ્‍ત આદિવાસી સમાજને આદિવાસી ભવનના માલિક બનાવવાનો પણ આડકતરો સંકેત આપ્‍યો હતો.

Related posts

આજે સંઘપ્રદેશ ભાજપના નવનિયુક્‍ત રાષ્‍ટ્રીય પ્રભારી વિનોદ સોનકરનું થનારૂં દમણ આગમન

vartmanpravah

નવસારી જિલ્લા ટુરિસ્‍ટ વ્‍હિકલ ઓનર વેલફેર એસોસિએશનની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં એક્‍સાઇઝ વિભાગ દ્વારા ફક્‍ત વાહનોના ચાલકોની જ ધરપકડ કરાતી હોવાથી દાનહમાં દારૂના અસલી તસ્‍કરો/બુટલેગરોને પકડી કડક કાર્યવાહી કરવા પ્રદેશ શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

vartmanpravah

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

vartmanpravah

દાનહ-દમણમાં મંગળવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયા

vartmanpravah

Leave a Comment