Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો ચુકાદો : સગીરા પર બળાત્‍કારના ગુનેગારને આજીવન કેદ

વિવિધ કલમો હેઠળ રૂા.43,000નો ફટકારેલો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : ડિસ્‍ટ્રિક્‍ટ એન્‍ડ સેશન્‍સ કોર્ટમાં છેલ્લા ચાર વર્ષથી કેદમાં રહેલી સગીર પર બળાત્‍કાર કરવાના કેસમાં વિદ્વાન ન્‍યાયાધીશ શ્રીધર એમ. ભોંસલેએ આજે સુનાવણી હાથ ધરતા આરોપી સુનીલ સુખ્‍ખનપાસવાનને દોષિત ઠેરવ્‍યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.તેને વિવિધ કલમો સાથે રૂા.43,000નો દંડ ફટકારવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઓગસ્‍ટ 2018માં કડૈયાની એક ચાલમાં રહેતો સુનીલ સુખ્‍ખન પાસવાન તેની પત્‍ની કંચના દેવી સાથે રક્ષાબંધનના દિવસે તેના વતન બિહાર ગામ ગયો હતો, જ્‍યાંથી સુનિલ કંચનાની માસીની 8 વર્ષની બાળકીને વગર તેની માતાની પરવાનગી દમણ લઈ ગયો હતો. દમણ લાવીને સુનીલ અને કંચનાએ યુવતીને બંધક બનાવીને પશુ જેવું વર્તન કર્યું હતું. દરમિયાન કંચનાએ તેની નાની સગીર બહેનને હાથ બાંધીને અનેકવાર બળાત્‍કાર કરાવ્‍યો હતો. આ સાથે તેના પ્રાઈવેટ પાર્ટ તેમજ શરીરના અન્‍ય ભાગો પર પણ ઘા કરવામાં આવ્‍યા હતા. છોકરીના પિતા 4 ડિસેમ્‍બર 2018ના રોજ દમણ પહોંચ્‍યા, જ્‍યાંથી તેઓ તેમની પુત્રીને લઈને દિલ્‍હી ગયા. જ્‍યાં સગીર તેની માતા સાથે રહેવા લાગી હતી. એક દિવસ જ્‍યારે સગીરની માતા તેને સ્‍નાન કરાવી રહી હતી ત્‍યારે તેણે બાળકીના શરીર પર દાઝવાના નિશાન જોયા. પૂછવા પર, છોકરી ખૂબ રડવા લાગી અને તેની માતાને આખી વાત કહી.
28 જાન્‍યુઆરી, 2019ના રોજ, કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના તત્‍કાલિન પ્રભારી શ્રી સોહિલ જીવાણીના નેતૃત્‍વ હેઠળ, ભારતીય દંડ સંહિતાની કલમ 376 અને પોક્‍સો એક્‍ટની કલમ6 હેઠળ એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી. કેસ નંબર 5/2019 નોંધીને તપાસનીશ અધિકારી પી.એસ.આઈ. ભાવિની હળપતિએ તપાસ શરૂ કરી હતી. પોલીસમાં નોંધાયેલી એફ.આઈ.આર.ની જાણ થતાં જ આરોપી પતિ-પત્‍ની બંને દમણમાંથી ફરાર થઈ ગયા હતા. દમણ પોલીસ આરોપીની શોધમાં 4 થી 5 વખત બિહાર ગઈ હતી.
લગભગ 6 મહિના સુધી આરોપીની શોધ કર્યા પછી, દમણ પોલીસે 29 જુલાઈ 2019ના રોજ આ કેસના મુખ્‍ય આરોપી સુનીલ સુખ્‍ખન પાસવાનની ધરપકડ કરી અને તેને દમણ લાવવામાં આવ્‍યો.
કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના એસ.એચ.ઓ. શ્રી ધનજી દુબરિયાની આગેવાની હેઠળ તપાસ અધિકારી પી.એસ.આઈ. ભાવિની હળપતિએ 16 ઓગસ્‍ટ 2019ના રોજ દમણ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
વિદ્વાન ન્‍યાયાધીશ શ્રી શ્રીધર એમ. ભોંસલેએ આ કેસની સુનાવણી દરમિયાન કુલ 12 સાક્ષીઓને સાંભળ્‍યા બાદ આરોપી સુનીલ સુખ્‍ખન પાસવાનને સગીરા પર બળાત્‍કારનો દોષી ઠેરવ્‍યો હતો અને તેને કલમ 376(2) હેઠળ 10 વર્ષની જેલની સજા અને સાથે 10 હજાર રૂપિયાના દંડ સાથે, આઈ.પી.સી. 376 (એબી) મુજબ આજીવન કારાવાસ અને 20 હજાર રૂપિયાનો દંડ તથા પોક્‍સો એક્‍ટની કલમ 6 મુજબ 10 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાની દંડ અને 506 કલમની જોગવાઈ મુજબ 2 વર્ષની જેલ અને 2 હજારનો દંડ અને 323 કલમનીજોગવાઈ હેઠળ ત્રણ મહિનાની જેલ તથા 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો હતો.
આ કેસમાં સરકારી વકીલ શ્રી હરિઓમ ઉપાધ્‍યાયે જોરદાર હિમાયત કરી અને ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

Related posts

ભાજપ સોશિયલ મીડિયાટીમના સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા આપેલી સૂચના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.10: આજે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્‌ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ જિલ્લા મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સોશિયલ મીડીયા ઈન્‍ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, શ્રી સત્‍યેનભાઈ પંડયાની ઉપસ્‍થિતિમાં જિલ્લા આઈ.ટી. સોશિયલ મીડિયા ટીમના મહત્‍વના વિષય એવા સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા ખાસ સૂચનો કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહિલભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ સહિત મંડળના ઈન્‍ચાર્જ, સહઈન્‍ચાર્જ વગેરે ઉપસ્‍થિત રહી પ્રમુખશ્રીની સૂચનાને અનુમોદન આપ્‍યું હતું.

vartmanpravah

વલસાડના જુજવામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

vartmanpravah

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધરાસણા મીઠા સત્યાગ્રહ સ્મારકના રિનોવેશન માટે ગુજરાત સરકાર અને પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MOU થયા

vartmanpravah

સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રક્ષાબંધન તહેવાર નિમિતે રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીની કારોબારી મિટિંગ યોજાઈ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment