December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો ચુકાદો : સગીરા પર બળાત્‍કારના ગુનેગારને આજીવન કેદ

વિવિધ કલમો હેઠળ રૂા.43,000નો ફટકારેલો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : ડિસ્‍ટ્રિક્‍ટ એન્‍ડ સેશન્‍સ કોર્ટમાં છેલ્લા ચાર વર્ષથી કેદમાં રહેલી સગીર પર બળાત્‍કાર કરવાના કેસમાં વિદ્વાન ન્‍યાયાધીશ શ્રીધર એમ. ભોંસલેએ આજે સુનાવણી હાથ ધરતા આરોપી સુનીલ સુખ્‍ખનપાસવાનને દોષિત ઠેરવ્‍યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.તેને વિવિધ કલમો સાથે રૂા.43,000નો દંડ ફટકારવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઓગસ્‍ટ 2018માં કડૈયાની એક ચાલમાં રહેતો સુનીલ સુખ્‍ખન પાસવાન તેની પત્‍ની કંચના દેવી સાથે રક્ષાબંધનના દિવસે તેના વતન બિહાર ગામ ગયો હતો, જ્‍યાંથી સુનિલ કંચનાની માસીની 8 વર્ષની બાળકીને વગર તેની માતાની પરવાનગી દમણ લઈ ગયો હતો. દમણ લાવીને સુનીલ અને કંચનાએ યુવતીને બંધક બનાવીને પશુ જેવું વર્તન કર્યું હતું. દરમિયાન કંચનાએ તેની નાની સગીર બહેનને હાથ બાંધીને અનેકવાર બળાત્‍કાર કરાવ્‍યો હતો. આ સાથે તેના પ્રાઈવેટ પાર્ટ તેમજ શરીરના અન્‍ય ભાગો પર પણ ઘા કરવામાં આવ્‍યા હતા. છોકરીના પિતા 4 ડિસેમ્‍બર 2018ના રોજ દમણ પહોંચ્‍યા, જ્‍યાંથી તેઓ તેમની પુત્રીને લઈને દિલ્‍હી ગયા. જ્‍યાં સગીર તેની માતા સાથે રહેવા લાગી હતી. એક દિવસ જ્‍યારે સગીરની માતા તેને સ્‍નાન કરાવી રહી હતી ત્‍યારે તેણે બાળકીના શરીર પર દાઝવાના નિશાન જોયા. પૂછવા પર, છોકરી ખૂબ રડવા લાગી અને તેની માતાને આખી વાત કહી.
28 જાન્‍યુઆરી, 2019ના રોજ, કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના તત્‍કાલિન પ્રભારી શ્રી સોહિલ જીવાણીના નેતૃત્‍વ હેઠળ, ભારતીય દંડ સંહિતાની કલમ 376 અને પોક્‍સો એક્‍ટની કલમ6 હેઠળ એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી. કેસ નંબર 5/2019 નોંધીને તપાસનીશ અધિકારી પી.એસ.આઈ. ભાવિની હળપતિએ તપાસ શરૂ કરી હતી. પોલીસમાં નોંધાયેલી એફ.આઈ.આર.ની જાણ થતાં જ આરોપી પતિ-પત્‍ની બંને દમણમાંથી ફરાર થઈ ગયા હતા. દમણ પોલીસ આરોપીની શોધમાં 4 થી 5 વખત બિહાર ગઈ હતી.
લગભગ 6 મહિના સુધી આરોપીની શોધ કર્યા પછી, દમણ પોલીસે 29 જુલાઈ 2019ના રોજ આ કેસના મુખ્‍ય આરોપી સુનીલ સુખ્‍ખન પાસવાનની ધરપકડ કરી અને તેને દમણ લાવવામાં આવ્‍યો.
કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના એસ.એચ.ઓ. શ્રી ધનજી દુબરિયાની આગેવાની હેઠળ તપાસ અધિકારી પી.એસ.આઈ. ભાવિની હળપતિએ 16 ઓગસ્‍ટ 2019ના રોજ દમણ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
વિદ્વાન ન્‍યાયાધીશ શ્રી શ્રીધર એમ. ભોંસલેએ આ કેસની સુનાવણી દરમિયાન કુલ 12 સાક્ષીઓને સાંભળ્‍યા બાદ આરોપી સુનીલ સુખ્‍ખન પાસવાનને સગીરા પર બળાત્‍કારનો દોષી ઠેરવ્‍યો હતો અને તેને કલમ 376(2) હેઠળ 10 વર્ષની જેલની સજા અને સાથે 10 હજાર રૂપિયાના દંડ સાથે, આઈ.પી.સી. 376 (એબી) મુજબ આજીવન કારાવાસ અને 20 હજાર રૂપિયાનો દંડ તથા પોક્‍સો એક્‍ટની કલમ 6 મુજબ 10 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાની દંડ અને 506 કલમની જોગવાઈ મુજબ 2 વર્ષની જેલ અને 2 હજારનો દંડ અને 323 કલમનીજોગવાઈ હેઠળ ત્રણ મહિનાની જેલ તથા 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો હતો.
આ કેસમાં સરકારી વકીલ શ્રી હરિઓમ ઉપાધ્‍યાયે જોરદાર હિમાયત કરી અને ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

Related posts

વલસાડના સરકારી પુસ્‍તકાલય ખાતે પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

સેલવાસમાં દમણગંગા નદીમાં ન્‍હાવા ગયેલા બે યુવાનોમાંથી એક યુવાન તણાયો

vartmanpravah

વલસાડમાં વકીલોના અભિવાદન સમારોહમાં સુરતમાં હાઈકોર્ટની બેન્‍ચ માટે માંગણીનો સુર ઉઠ્‍યો

vartmanpravah

દમણ પોલીસે વિખુટી પડેલી ચાર વર્ષની બાળકીનો પોતાના પરિવાર સાથે કરાવેલો મેળાપ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

પારડીમાં ભાજપ સદસ્‍યતા અભિયાનનો વિધિવત પ્રારંભ

vartmanpravah

Leave a Comment