April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશસેલવાસ

પ્રવાસન વિભાગ દ્વારા તા.24થી 30 ઓગસ્‍ટ સુધી દમણ અને દાનહમાં યોજાનારો અફલાતૂન મોન્‍સૂન ફેસ્‍ટિવલઃ રમત-ગમત, મોજ-મસ્‍તી સાથે આનંદ-પ્રમોદનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ તા.24 થી 30 ઓગસ્‍ટ, 2023 સુધી પ્રદેશમાં મોન્‍સૂન ફેસ્‍ટિવલની ઉજવણી પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
ફેસ્‍ટિવલનો પ્રારંભ તા.24મી ઓગસ્‍ટે દમણના નમો પથ ઉપર કલ્‍ચરલ પરેડથી થશે અને આ ક્રમમાં 24 થી 30 ઓગસ્‍ટ, 2023 સુધી દૂધની જેટી પર બોટ રેસ, કબડ્ડી, વોલીબોલ, ટગ ઓફ વોર, ખો-ખો, સ્‍વિમિંગ, મેરેથોન સહિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે. તદ્‌ઉપરાંત 24 થી 30 ઓગસ્‍ટ સુધી દૂધની ટુરિસ્‍ટ કોમ્‍પલેક્ષમાં ટ્રેમ્‍પલિંગ, વોલ ક્‍લાઈમ્‍બિંગ, જેટ સ્‍કી, બનાના રાઈટ, ક્‍યાકિંગ સહિતની રમતોનું આયોજન પણ કરાશે.
24 થી 30 ઓગસ્‍ટ સુધી દાનહ અને દમણના બંને જિલ્લામાં સુફી ગઝલ નાઈટ, ભજન નાઈટ, લાઈવ બોલીવુડ, શાષાીય નૃત્‍ય, હાસ્‍યકવિ સંમેલન, ગુજરાતી ડ્રામા,સ્‍ટેન્‍ડઅપ કોમેડી, એરિયલ આર્ટ્‌સનું આયોજન કરવામાં આવશે.
દૂધનીમાં કેમ્‍પિંગ, હોમસ્‍ટે, ટ્રેકિંગનું પણ આયોજન કરાશે. જેના કારણે પ્રવાસીઓ અને સ્‍થાનિકો પ્રાકૃત્તિક સૌંદર્યની મઝા માણી શકશે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે ચોમાસા દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની કડીમાં આ વર્ષે પણ 24 થી 30 ઓગસ્‍ટ, સુધી પુરા ઉત્‍સાહ અને ઉમંગ સાથે સંઘપ્રદેશમાં મોન્‍સૂન ફેસ્‍ટિવલની ઉજવણી કરાશે.

Related posts

દાનહની ત્રિ-દિવસીય મુલાકાતે આવેલા કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી દેવુસિંહ ચૌહાણે યુવા મતદાતાઓ સાથે કરેલો સંવાદ: આવનાર લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોને કરેલા પ્રોત્‍સાહિત

vartmanpravah

ચીખલીના મલિયાધરાથી દારૂ ભરેલ કાર ઝડપાઈઃ રૂ. ૫.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

vartmanpravah

વાંસદા તાલુકામાંથી પસાર થતાં વાપી-શામળાજી રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ-56 ઉપર સ્‍લેબ ડ્રેઈન તૂટી જતા હાઈવે બંધ કરાયો

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલના રેસિડેન્‍ટ ડોક્‍ટરો પડતર માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતર્યા

vartmanpravah

વાપી ICDS વિભાગ દ્વારા આયોજીત ૭મા પોષણમાસ કાર્યક્રમની પૂર્ણાહુતિ

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના ગામોમાં ભારતમાલા પ્રોજેક્‍ટ અંતર્ગત: સુરત-નાસિક-અહમદનગર હાઈવેની જમીન સંપાદન માટે ખેડૂતોની વાંધા અરજીઓ સાંભળ્‍યા પૂર્વે જ 7/12 ના ઉતારામાં ફેરફાર નોંધા પાડી દેવાતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ

vartmanpravah

Leave a Comment