July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નવા રેલવે પુલના મુખ્‍ય બિમ્‍બમાં કોટિંગ વગરના સળીયા વાપરવામાં આવ્‍યા

તાલુકા પંચાયતમાં યોજાયેલ સ્‍વાગત કાર્યક્રમમાં મામલો ઉઠયો :
આ સિવાય વાપીના અન્‍ય મુદ્દા પણ ચર્ચાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી તાલુકા પંચાયત ભવનમાં ગુરુવારે યોજાયેલ મુખ્‍યમંત્રી સ્‍વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાપી વિસ્‍તારની સમસ્‍યાઓ અંગે કોંગ્રેસએ અનેક મુદ્દા ઉઠયા હતા. જેમાં મહત્ત્વનો અને ગંભીર મુદ્દો જિલ્લા કોંગ્રેસ સેક્રેટરી ફરહાન બોગાએ રજૂ કર્યો હતો કે વાપીમાં હાલમાં બની રહેલ રેલવે ફલાય ઓવરબ્રિજના મુખ્‍ય બિમ્‍બોમાં કોટીંગ વગરના સળીયા વપરાયા છે.
વાપી તાલુકા પંચાયતમાં કલેક્‍ટર મામલતદાર અને જુદા જુદા વિભાગો-પાલિકાના અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ગુરુવારે સ્‍વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ સેક્રેટરી ફરહાન બોગાએ તિવ્ર રજૂઆત કરી હતી કે વાપીના નવા આર.ઓ.બી.ના મુખ્‍ય બિંબમાં કોટિંગ વગરના સળીયા વપરાયા છે.જેમાં ભ્રષ્‍ટાચાર થયાનો તેમનો આક્ષેપ કર્યો હતો. સ્‍વાગત કાર્યક્રમમાં વોર્ડ નં.8ના તૂટેલા રોડ તથા ચલામાં કુદરતી વહેણમાં ઈમારત ઉભી કરી દેવા જેવા મુદ્દા પણ ગાજ્‍યા હતા. ઉલ્લેખનીય છે કે, સ્‍વાગત કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. પરંતુ ભાજપની સુચક ગેરહાજરી હતી. સ્‍વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નોની નોંધ લેવાઈ છે અને જરૂરી પગલા ભરાશે તેવું જાહેર કરવામાં આવ્‍યું છે. ફરહાન બોગાએ કાર્યક્રમમાં એ પણ જણાવ્‍યું હતું કે, મારી ફરિયાદ બાદ કોટિંગ સળીયાનો ઉપયોગ શરૂ કરાયો છે પરંતુ આગળ બની ગયેલા બિંબનું શું તેમાં ભ્રષ્‍ટાચાર થઈ ચૂક્‍યો છે.

Related posts

ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરની ઉપસ્થિતિમાં પશુપાલન શિબિર યોજાઇ

vartmanpravah

વાપી-ચલા, નામધા- ચંડોર વિસ્‍તારમાં વારંવાર થતા વીજકાપ સમસ્‍યાની કોંગ્રેસ દ્વારા ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

હવે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ હાઈવે ઉપર લેઝર સ્‍પીડ ગનથી વાહનોની ગતિ કન્‍ટ્રોલ કરશે

vartmanpravah

દીવમાં જાહેર સ્‍થળો ઉપર દારૂના સેવન માટે પ્રશાસન સખ્‍ત : પકડાઈ જતા દંડાત્‍મક કાર્યવાહી કરાશે

vartmanpravah

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વલસાડને મહાનગર બનાવવા માટે કોર્પોરેટરોની કલેક્‍ટરને લેખિત રજૂઆત : 15 ગામો સમાવાય તો વસ્‍તી 3.08 લાખ થઈ જાય

vartmanpravah

Leave a Comment