January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

પાલિકા ફાયર બ્રિગેડે તાત્‍કાલિક દોડી આવી આગ પર કાબુ કરીલીધો : આગમાં કોઈ જાનહાની થવા પામી નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ શહેર અને વાપીમાં ઉનાળાની ગરમીના સમયમાં આગ લાગવાના બનાવોમાં સરેરાશ વધારો થતો જોવા મળ્‍યો છે. આજે શુક્રવારે વલસાડ શહેરના એક જ્‍યુસ સેન્‍ટરમાં અચાનક આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી હતી.
વલસાડ શહેરમાં આવેલ ગાંધી લાયબ્રેરી સામે કાર્યરત જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં આજે શુક્રવારે સવારે અચાનક આગ લાગી હતી. આગની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા. આગે જોતજોતામાં ભિષણ સ્‍વરૂપ પકડી લીધું હતું. લોકોએ પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે દોડી આવેલ અને તાબડતોડ આગ બુઝાવવાની જાહેરાત આરંભી દીધી હતી. એકાદ કલાકમાં આગ પર કાબુ કરી લેવાયો હતો. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્‍યું નથી. પરંતુ જ્‍યુસ સેન્‍ટર આખું બળીને ખાખ થઈ ગયું હતું. અન્‍ય કોઈ જાનહાનીનો બનાવ બનેલ નથી.

Related posts

કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં Y20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ જિલ્લા પ્રશાસને માછીમારોને દરીયો ખેડવા આપેલી પરવાનગીઃ માછીમારોની નવી સિઝનનો આરંભ

vartmanpravah

‘સ્‍વચ્‍છ નિર્મળ તટ અભિયાન’ અંતર્ગત દરિયા કિનારા પર સ્‍વચ્‍છતા અભિયાનમાં 6 રાજ્‍યો અને 3 કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં સ્‍થિત 10 દરિયાકિનારા વિકસાવાયા છેઃ કેન્‍દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્‍યસભામાં આપેલી માહિતી

vartmanpravah

સેલવાસ નગર પાલિકાને મળેલો ઈ-ગર્વનન્‍સ-2020-21નો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર

vartmanpravah

નવસારી જિલ્લાના 5 આદિવાસી ગામોમાં 100 ટકા કોરોના વેક્‍સિનેશન કામગીરી કરી આદિવાસીઓમાં ઓછા રસીકરણનું મેણું ભાંગ્‍યું

vartmanpravah

દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને નવા સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવા કલેક્‍ટર અને શિક્ષણ સચિવ સમક્ષ ગુલાબ રોહિતે કરેલી માંગ

vartmanpravah

Leave a Comment