July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

પાલિકા ફાયર બ્રિગેડે તાત્‍કાલિક દોડી આવી આગ પર કાબુ કરીલીધો : આગમાં કોઈ જાનહાની થવા પામી નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ શહેર અને વાપીમાં ઉનાળાની ગરમીના સમયમાં આગ લાગવાના બનાવોમાં સરેરાશ વધારો થતો જોવા મળ્‍યો છે. આજે શુક્રવારે વલસાડ શહેરના એક જ્‍યુસ સેન્‍ટરમાં અચાનક આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી હતી.
વલસાડ શહેરમાં આવેલ ગાંધી લાયબ્રેરી સામે કાર્યરત જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં આજે શુક્રવારે સવારે અચાનક આગ લાગી હતી. આગની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા. આગે જોતજોતામાં ભિષણ સ્‍વરૂપ પકડી લીધું હતું. લોકોએ પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે દોડી આવેલ અને તાબડતોડ આગ બુઝાવવાની જાહેરાત આરંભી દીધી હતી. એકાદ કલાકમાં આગ પર કાબુ કરી લેવાયો હતો. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્‍યું નથી. પરંતુ જ્‍યુસ સેન્‍ટર આખું બળીને ખાખ થઈ ગયું હતું. અન્‍ય કોઈ જાનહાનીનો બનાવ બનેલ નથી.

Related posts

વલસાડ સીટી પોલીસમાં ફરજ બજાવતા મહિલા જી.આર.ડી.નું હાર્ટ એટેકથી મૃત્‍યુ

vartmanpravah

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

vartmanpravah

સેલવાસના સચિવાલય અને કલેક્‍ટર કચેરી પરિસરમાં કલમ 144 લાગુ કરાઈ

vartmanpravah

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

ગુજરાત પ્રાકૃતિક- વ- સેન્દ્રિ ય કૃષિ વિશ્વવિદ્યાલય આણંદ દ્વારા આયોજીત ઉમરગામ ખાતે પ્રાકૃતિક કૃષિના કૃષિકાર પૂ. ભાસ્કાર સાવેની જન્મતશતાબ્દીદ નિમિત્તે રાજયના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સન મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યયક્ષસ્થાકને ખેડૂતોની વિચાર ગોષ્ઠિદ યોજાઇ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્ર આત્મનિર્ભર થાય તે ઘણુ મહત્વનું છેઃ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા:- આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિ- વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ૨૩૫૯ કરોડના એમઓયુ થયા

vartmanpravah

Leave a Comment