Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

નારિયેળી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત દમણ બાલ ભવન બોર્ડ દ્વારા 2 સપ્‍ટેમ્‍બરે ગાયન સ્‍પર્ધા અને 3 સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ નૃત્‍ય સ્‍પર્ધાનું આયોજન નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : સંઘપ્રદેશ દમણમાં બાલ ભવન બોર્ડ ખાતે આજે નારિયેળી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ અને રાખડી બનાવવાની સ્‍પર્ધાનું આયોજન કરવામાંઆવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં દમણની વિવિધ શાળાઓના 125 જેટલા વિદ્યાર્થીઓએ ખુબજ ઉમંગ અને ઉલ્લાસથી ભાગ લીધો હતો અને પોતાનામાં છૂપાયેલી પ્રતિભાના દર્શન કરાવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ બાલ ભવન બોર્ડ દ્વારા બાળકોમાં છૂપાયેલી શક્‍તિને બહાર લાવવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે. જેની કડીમાં નારિયેલી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત આગામી 2જી સપ્‍ટેમ્‍બરના રોજ ગાયન સ્‍પર્ધા અને 3જી સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ નૃત્‍ય સ્‍પર્ધાનું આયોજન નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવશે.
આજે યોજાયેલ બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટની સ્‍પર્ધામાં 1 થી 3 ક્રમે આવેલા વિદ્યાર્થીઓને પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેમાં પ્રથમ ક્રમે શાલિની પાસવાન, દ્વિતીય ક્રમે અર્ચના અજય શાહ અને તૃતિય ક્રમે વૃતિ પટેલ રહ્યા હતા. જ્‍યારે રાખડી બનાવવાની સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે છેત્રી હિરા રાજકુમાર, દ્વિતીય ક્રમે રિયાકુમારી રંજનકુમાર અને તૃતિય ક્રમે દક્ષ પટેલ આવ્‍યા હત. જેઓને પ્રોત્‍સાહન રૂપે ઈનામો આપવામાં આવ્‍યા હતા. એમ દમણ બાલ ભવન બોર્ડના નિર્દેશક શ્રી મનોજગિરી ગોસ્‍વામીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ સંગઠન મંત્રી વિવેક ધાડકરનામાર્ગદર્શનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મંડળની સંગઠનાત્‍મક બેઠક યોજી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણમાં નિર્માણાધિન સચિવાલય સહિતના વિકાસકામોનું બારિકાઈથી કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

1લી સપ્‍ટેમ્‍બરે યોજાનાર ઐતિહાસિક કિસાન રેલી અંતર્ગત ડુમલાવમાં જિલ્લા કોંગ્રેસની મીટિંગ યોજાઈ

vartmanpravah

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

દાનહમાં વન વિભાગ દ્વારા સાયક્‍લોથોન યોજાઈઃ ‘પર્યાવરણ બચાવો’નો બુલંદ બનેલો સંદેશ

vartmanpravah

Leave a Comment