Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલ એક વ્‍યક્‍તિનું મોત થયાં બાદ મોટી દમણના સામુદાયિક આરોગ્‍યકેન્‍દ્રના સભાખંડમાં ડેન્‍ગ્‍યુ તાવની જાગૃતિ અંગે કર્મચારીઓને તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.25: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ અને આરોગ્‍ય સચિવના માર્ગદર્શન હેઠળ મોટી દમણના સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્રના સભાખંડ આજે રાષ્‍ટ્રીય વેક્‍ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુ તાવની સતર્કતાના આગોતરા પગલાં રૂપે જાગૃતિ હેતુ ખ્‍ફપ્‍, ગ્‍ણ્‍ષ્‍ અને આશા કાર્યકરો સહિત આરોગ્‍ય વિભાગના તમામ આરોગ્‍ય કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
તાલીમનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય આરોગ્‍ય કેન્‍દ્રના તમામ આરોગ્‍ય કર્મચારીઓમાં ડેન્‍ગ્‍યુથી થતા રોગો અંગે જાગૃતિ લાવવા અને ડેન્‍ગ્‍યુ તાવથી બચવા વિવિધ સૂચનો કરવામાં આવ્‍યા હતા. જેમ કે, ઘરની આસપાસ કે ઘરની અંદર પાણી જમા ન થવા દેવું નહીં, કૂલર, વાસણમાં સંગ્રહિત પાણીને અઠવાડિયામાં બે વાર સાફ કરવા, પાણીની ટાંકી અને કન્‍ટેનરને યોગ્‍ય રીતે ઢાંકાવા, સૂતી વખતે મચ્‍છરદાનીનો ઉપયોગ કરવા તથા સંપૂર્ણ બાંયના કપડાં પહેરવા જેવી બાબતો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા તમામ તાલીમાર્થી કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, તાજેતરમાં જ સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં ડેંગ્‍યુ તાવનીસારવાર લઈ રહેલ ડોકમરડી ખાડી વિસ્‍તારના એક 35 વર્ષિય યુવાનનું મોત થયું હતું. જેને ધ્‍યાનમાં લઈને તંત્ર જાગી ગયું છે.

Related posts

દમણીઝાંપા હાઈવે પર ડ્રાઈવરે સ્‍ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્‍કરે મારી પલટી

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, ખાતે ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા” યોજાઈ

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ(ગ્રાન્‍ટેડ) શાળાનું ગૌરવ

vartmanpravah

અંડર-19 રાજ્‍યકક્ષા કુસ્‍તી સ્‍પર્ધામાં સારસ્‍વત સ્‍કૂલ વિજેતા

vartmanpravah

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદ રાત્રે વાપી સ્‍ટેશનથી પસાર થવાના હોવાથી લોકો ઉમટી પડયા

vartmanpravah

Leave a Comment