Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

નારિયેળી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત દમણ બાલ ભવન બોર્ડ દ્વારા 2 સપ્‍ટેમ્‍બરે ગાયન સ્‍પર્ધા અને 3 સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ નૃત્‍ય સ્‍પર્ધાનું આયોજન નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : સંઘપ્રદેશ દમણમાં બાલ ભવન બોર્ડ ખાતે આજે નારિયેળી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ અને રાખડી બનાવવાની સ્‍પર્ધાનું આયોજન કરવામાંઆવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં દમણની વિવિધ શાળાઓના 125 જેટલા વિદ્યાર્થીઓએ ખુબજ ઉમંગ અને ઉલ્લાસથી ભાગ લીધો હતો અને પોતાનામાં છૂપાયેલી પ્રતિભાના દર્શન કરાવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ બાલ ભવન બોર્ડ દ્વારા બાળકોમાં છૂપાયેલી શક્‍તિને બહાર લાવવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે. જેની કડીમાં નારિયેલી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત આગામી 2જી સપ્‍ટેમ્‍બરના રોજ ગાયન સ્‍પર્ધા અને 3જી સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ નૃત્‍ય સ્‍પર્ધાનું આયોજન નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવશે.
આજે યોજાયેલ બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટની સ્‍પર્ધામાં 1 થી 3 ક્રમે આવેલા વિદ્યાર્થીઓને પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેમાં પ્રથમ ક્રમે શાલિની પાસવાન, દ્વિતીય ક્રમે અર્ચના અજય શાહ અને તૃતિય ક્રમે વૃતિ પટેલ રહ્યા હતા. જ્‍યારે રાખડી બનાવવાની સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે છેત્રી હિરા રાજકુમાર, દ્વિતીય ક્રમે રિયાકુમારી રંજનકુમાર અને તૃતિય ક્રમે દક્ષ પટેલ આવ્‍યા હત. જેઓને પ્રોત્‍સાહન રૂપે ઈનામો આપવામાં આવ્‍યા હતા. એમ દમણ બાલ ભવન બોર્ડના નિર્દેશક શ્રી મનોજગિરી ગોસ્‍વામીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

એમિક્રોન વેરિઅન્‍ટ વાયરસની સાવચેતી માટે વિદેશથી આવેલા વલસાડ જિલ્લાના 12 મુસાફરોને ક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10ની પરીક્ષામાં સંઘપ્રદેશના 8207 અને ધોરણ 12ના 5705 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

વાપીમાં દાનહની કવિયત્રી ડૉ.શાલીની શર્માનો સમ્‍માન સમારોહ અને કવિ સંધ્‍યા યોજાઈ

vartmanpravah

વલસાડ અને ધરમપુરમાં કિસાન દિવસ અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ : 233 ખેડૂતોએ લાભ લીધો

vartmanpravah

ધરમપુર ધસારપાડા ચોકડી પાસે બે બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : બાઈક સવારનું સારવારમાં મોત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્‍મસવાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્‍યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંશિક ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

vartmanpravah

Leave a Comment