September 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરસાડી માછીવાડમાં શ્રાવણ માસ નિમિત્તે અખંડ ભજન કીર્તન, પાલખી યાત્રા સાથે મટકી ફોડી સપ્તાહની ઉજવણી કરાઈ

ભક્‍તિભાવ પૂર્વક પુજા-અર્ચના સાથે દરેક ફળિયામાંથી એક વ્‍યક્‍તિએ એક પગે તંબૂરો અને બીજા હાથે તુલસી માળા ફેરવતા ભક્‍તિનો માહોલ છવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.29: ઉમરસાડી માછીવાડ ગામે શ્રાવણ માસમાં ધર્મ ભક્‍તિથી ઓતપ્રોત સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. એક સપ્તાહ સુધી અખંડ ભજન-કીર્તન અને પૂજા-અર્ચના કરાતા સમગ્ર ગામ ભક્‍તિમય બન્‍યું હતું.
ઉમરસાડી માછીવાડ ગામે વર્ષોથી શ્રાવણ માસના પ્રથમ સપ્તાહમાં સાત દિવસ અખંડ રાત-દિવસ ભજન-કીર્તન પૂજાના કાર્યક્રમની પરંપરા છે. આ વર્ષે પણ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર કમિટી દ્વારા સપ્તાહનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્‍યું હતું. સપ્તાહના પ્રારંભે પૂજામાં અગિયાર જોડા બેઠા હતા અને બ્રાહ્મણના શાષાોક્‍ત મંત્રોચ્‍ચાર સાથે પૂજાનો આરંભ થયા બાદ 13 ફળિયાના ભક્‍તોએ સાત દિવસમાં વારા બાંધી રાત-દિવસ અખંડ ભજનકીર્તનની રમઝટ જમાવી હતી. દરેક ફળિયામાંથી એક વ્‍યક્‍તિએ નારદ મુનિનો વેશ ધારણ કરી એક હાથે તંબૂરો બીજા હાથે તુલસી માળા ફેરવાતા એક કલાક એક પગે ઊભા રહી પ્રભુ સ્‍મરણ કરી અનોખું તપ કર્યું હતું.
છેલ્લા દિવસે ઠાકોરજીની પાલખીયાત્રા નાચગાન સાથે ગામમાં ફરી હતી. સમુદ્ર કિનારે સુધી પહોંચવા દરમિયાન ઠેરઠેર બાંધવામાં આવેલી મટકી ફોડવામાં આવી હતી. સમુદ્ર તટે ઠાકોરજીને જળાભિષેક કરી આરતી કરી ગ્રામજનોએ પણ સમુદ્રમાં સ્‍નાન કરી ભગવાનના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. આ સમગ્ર ઉજવણીને સફળ બનાવવા શ્રી માછી મહાજન પંચના પ્રમુખ સુરેશભાઈ ટંડેલ, મંદિર કમિટીનાપ્રમુખ અરવિંદભાઈ ટંડેલ તથા તમામ સભ્‍યો યુવાન ભાઈ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

દાદરા ગાર્ડન નજીક રોડ ઉપર અચાનક વાછરડું આવી જતાં થયેલો અકસ્‍માત

vartmanpravah

‘સંકલ્‍પ સપ્તાહ’ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતે એસએસસી બોર્ડમાં ટોપ કરતી દમણવાડા હાયર સેકન્‍ડરી સ્‍કૂલના શિક્ષકોનું કરેલું સન્‍માન

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ બીજા દિવસે ચણવઇ ગામમાં પહોંચ્યો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ અને ધરમપુરમાં કિસાન દિવસ અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ : 233 ખેડૂતોએ લાભ લીધો

vartmanpravah

Leave a Comment