April 19, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા ગાર્ડન નજીક રોડ ઉપર અચાનક વાછરડું આવી જતાં થયેલો અકસ્‍માત

બાઈક સવાર વાછરડાને બચાવવાના પ્રયાસમાં સર્જાયેલા અકસ્‍માતમાં નીચે પટકાતા પહોંચેલી ઈજા

જાગૃત નાગરિકો અને લોકો દ્વારા એકલા અટૂલા રખડતા મુંગા પશુઓ માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા જવાબદાર તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં મૂકદર્શકની મુદ્રામાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17 : દાદરા ગાર્ડન નજીક મેઈન રોડ પર યુવાન બાઈક ઉપર સવાર હતો તે સમયે અચાનક સામેથી વાછરડું આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં યુવાન બાઈક સાથે નીચે પટકાતા ઘાયલ થયો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બાઈક સવાર યુવાન પીપરીયાથી દાદરાની કંપનીમાં ડયૂટી પર જઈરહ્યો હતો તે સમયે દાદરા ગાર્ડન નજીકથી પસાર થતી વખતે સામેથી અચાનક વાછરડું આવી ગયું હતું. વાછરડાને બચાવવાના પ્રયાસમાં બાઇકસવારે સાઈડ પરથી ટર્ન લેતા અને ઈમરજન્‍સી બ્રેક મારવા જતા બાઈક સાથે નીચે પટકાયો હતો. જેના કારણે ઘણી ઈજાઓ પણ થઈ હતી. આ ઘટના આજુબાજુના લોકોએ જોતા તેઓ દોડી આવ્‍યા હતા અને ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યો હતો. અત્રે નોંધનીય છે કે, સેલવાસ તેમજ આજુબાજુના શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં મોટી સંખ્‍યામાં એકલા અટૂલા મુંગા પશુઓ જાહેર રસ્‍તાઓ ઉપર અડીંગો જમાવીને બેસતા હોય છે, જેના કારણે ક્‍યારેક ક્‍યારેક અચાનક અકસ્‍માતો સર્જાવાની ઘણી ઘટનાઓ બની છે જેમાં કેટલાક માણસોના તો કેટલાક પશુઓના પણ જીવ ગયા છે. લોકો દ્વારા વારંવાર જવાબદાર તંત્રને વિનંતીઓ અને અરજીઓ કરવામાં આવે છે કે, રસ્‍તા પર રખડતા ઢોરોને અંકુશમાં લેવા યોગ્‍ય પગલાં ભરવામાં આવે, પરંતુ આ બધું તંત્રને દેખાતું નહીં હોય એમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય એવું પ્રતિત થાય છે અને જેના કારણે વારંવાર નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.

Related posts

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષા ઊજવણી વલસાડ ખાતે

vartmanpravah

નવસારી જિલ્લા ક્‍વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો રાખેલો મક્કમ નિર્ધાર

vartmanpravah

દીવ વણાંકબારા શિવ સાગર સપ્‍લાયર્સ એસોસિયેશન દ્વારા રાધે ક્રિષ્‍ના બોટ માલિકને રૂા. 2,25,936ની આર્થિક સહાય કરાઈ

vartmanpravah

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દીવમાં સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જિલ્લાના સાત જેટલા વકીલોને નોટરી તરીકેની આપવામાં આવેલી માન્‍યતા

vartmanpravah

Leave a Comment