Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

મરાઠી બ્રાહ્મણ સભા સેલવાસ દ્વારા ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની અપાયેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : સેલવાસના ગોકુલ વિહાર સોસાયટીમાં છેલ્લાં ઘણાં વર્ષોથી મરાઠી બ્રાહ્મણ સભા દ્વારા ભગવાન ગણેશની માટીની મૂર્તિ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. સેલવાસના સ્‍થાનિક નાનાથી લઈને મોટા લોકો આ કલાનો લાભ લઈ રહ્યા છે. ભગવાન ગણેશજીની માટીથી મૂર્તિ બનાવી અને ગણેશ ચતુર્થીના પાવર પ્રસંગે તેની સ્‍થાપના પણ કરવામાં આવે છે.
આ મૂર્તિ બનાવવાનો મુખ્‍યઉદ્દેશ એ છે કે વર્ષો પહેલાં લોકો માટીમાંથી જ મૂર્તિ બનાવી ગણેશ ચતુર્થી નિમિતે તેની સ્‍થાપના કરતા હતા. પરંતુ આજના આધુનિક જમાનામાં લોકો બજારમાં મળતી પ્‍લાસ્‍ટર ઓફ પેરિસ(પી.ઓ.પી.)ની મૂર્તિ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે.
પર્યાવરણના બચાવાવના હેતુથી સંસ્‍થા દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી નાના બાળકોથી લઈને યુવાન તથા વડીલોને માટીમાંથી ગણેશજીની મૂર્તિ કેવી રીતે બને તેની તાલીમ આપવામાં આવી રહી છે. સોસાયટી તેમજ સેલવાસના આસપાસના લોકો આ તાલીમ લઈ ગણેશજીની માટીની મૂર્તિ બનાવી અને ગણેશ ચતુર્થી નિમિત્તે એમના ઘરે સ્‍થાપના કરે છે અને આ મૂર્તિ ઇકો ફ્રેન્‍ડલી હોય છે જેથી પર્યાવરણને પણ કોઈ નુકસાન થતુ નથી.

Related posts

…અને દાનહના ડુંગરાળ તથા અંતરિયાળ જંગલ વિસ્‍તાર રાંધાની કન્‍યાઓ ઈન્‍ટરનેટ સાથે જોડાઈ ડિજિટલ ઈન્‍ડિયાનો હિસ્‍સો બની

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણ સિવિલ અને ક્રિમિનલ કોર્ટમાં નવા વકીલોને આપવામાં આવેલીતાલીમ

vartmanpravah

‘‘બીટ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન”ની થીમ પર આધારિત વાપીમાં વી.આઈ.એ. દ્વારા 4 જૂનના રવિવારે ‘સ્‍ટ્રીટ ફોર ઓલ’ યોજાશે

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપરથી અયોધ્‍યા દર્શન આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેનને ભાજપના આગેવાનોએ રવાના કરી

vartmanpravah

સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા. ૨૭ જૂને હરિયા પીએચસીમાં યોજાશે

vartmanpravah

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

Leave a Comment