December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

મરાઠી બ્રાહ્મણ સભા સેલવાસ દ્વારા ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની અપાયેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : સેલવાસના ગોકુલ વિહાર સોસાયટીમાં છેલ્લાં ઘણાં વર્ષોથી મરાઠી બ્રાહ્મણ સભા દ્વારા ભગવાન ગણેશની માટીની મૂર્તિ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. સેલવાસના સ્‍થાનિક નાનાથી લઈને મોટા લોકો આ કલાનો લાભ લઈ રહ્યા છે. ભગવાન ગણેશજીની માટીથી મૂર્તિ બનાવી અને ગણેશ ચતુર્થીના પાવર પ્રસંગે તેની સ્‍થાપના પણ કરવામાં આવે છે.
આ મૂર્તિ બનાવવાનો મુખ્‍યઉદ્દેશ એ છે કે વર્ષો પહેલાં લોકો માટીમાંથી જ મૂર્તિ બનાવી ગણેશ ચતુર્થી નિમિતે તેની સ્‍થાપના કરતા હતા. પરંતુ આજના આધુનિક જમાનામાં લોકો બજારમાં મળતી પ્‍લાસ્‍ટર ઓફ પેરિસ(પી.ઓ.પી.)ની મૂર્તિ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે.
પર્યાવરણના બચાવાવના હેતુથી સંસ્‍થા દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી નાના બાળકોથી લઈને યુવાન તથા વડીલોને માટીમાંથી ગણેશજીની મૂર્તિ કેવી રીતે બને તેની તાલીમ આપવામાં આવી રહી છે. સોસાયટી તેમજ સેલવાસના આસપાસના લોકો આ તાલીમ લઈ ગણેશજીની માટીની મૂર્તિ બનાવી અને ગણેશ ચતુર્થી નિમિત્તે એમના ઘરે સ્‍થાપના કરે છે અને આ મૂર્તિ ઇકો ફ્રેન્‍ડલી હોય છે જેથી પર્યાવરણને પણ કોઈ નુકસાન થતુ નથી.

Related posts

પારડી બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળોની રચના

vartmanpravah

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah

દમણ દલવાડામાં ભંડારી પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

‘‘ફેમિના મિસ ઇન્‍ડિયા યુનિયન ટેરેટરી-2024”નો એવોર્ડ સેલવાસની યુવતિ રેખા પાંડેના ફાળે

vartmanpravah

વાપીની કંપનીમાંથી ચોરી કરતી ગેંગના 8 ઈસમોને એસઓજી ટીમે ઝડપી પાડી રૂા.14.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

vartmanpravah

વ્‍યારા સરકારી હોસ્‍પિટલના ખાનગીકરણ મામલે ચિખલી, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી

vartmanpravah

Leave a Comment