Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ગણેશજીની 9 ફૂટની પ્રતિમાના જાહેરનામાથી ગણેશ આયોજકોમાં નારાજગી : સિટી પો.સ્‍ટે.માં મિટિંગ યોજાઈ

11 ફૂટની શ્રીજીની મૂર્તિ વેચાણ કરતા 4 સામે ગુનો નોંધાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: આગામી સપ્‍ટેમ્‍બર મહિનાની તા.19 થી ગણેશ મહોત્‍સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તે પહેલાં કલેક્‍ટરે બહાર પાડેલ 9 ફૂટની પ્રતિચમાના જાહેરનામા અંગે વલસાડના ગણેશ મહોત્‍સવ આયોજકો અને ડી.જે. સંચાલકોમાં ભારે નારાજગી પ્રસરી જવા પામી છે તે સંદર્ભે આજે વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનમાં ગણેશ આયોજકોની મિટિંગ પોલીસ દ્વારા યોજવામાં આવી હતી.
ગણેશ મહોત્‍સવામં 9 ફૂટથી ઊંચી પ્રતિમા નહીં સ્‍થાપી શકાય એવું જાહેરનામું વલસાડ કલેક્‍ટર દ્વારા બાહર પાડવાની સાથે જ ગણેશ આયોજકો અને ભાવિકો દ્વારા વિરોધ કરવામાં આવ્‍યો છે. આજે વલસાડ સિટી પો.સ્‍ટે.માં ડી.વાય.એસ.પી. એ.કે. વર્માની અધ્‍યક્ષતામાં ગણેશ મંડળ આયોજકોની મિટિંગ યોજાઈ હતી.જેમાં પોલીસે આયોજન અંગેની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્‍યું હતું. રાતે 10 વાગ્‍યા પહેલા ગણેશ સ્‍થાપના કરવાની રહેશે અને વિસર્જન અંગે નિયમોનું પાલન કરવું પડશે. મિટિંગમાં પાલિકા પૂર્વ પ્રમુખ રાજુ મરચાએ 9 ફૂટની પ્રતિમાનો નિયમનો વિરોધ કર્યો હતો. મૂર્તિના ઓર્ડર ચાર પાંચ મહિના પહેલા અપાઈ ચૂક્‍યા છે. બીજુ ચાલુ જાહેરનામું ભૂતકાળમાં પણ કેન્‍સલ કરાયેલું જ છે તેવું જણાવ્‍યું હતું. જો કે પોલીસ મક્કમ છે. વલસાડમાં 11 ફૂટની શ્રીજી મૂર્તિ વેચાણ કરી રહેલ ચાર સામે ગુનો નોંધ્‍યો છે. તેથી 9 ફૂટની પ્રતિમા વિવાદ વધુ ઉગ્ર બને એવુ લાગે છે. મિટિંગમાં 40 ઉપરાંત ગણેશ આયોજકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મેડિકલ અને હેલ્‍થ સર્વિસિસના ડાયરેક્‍ટર તરીકે ત્‍ખ્‍લ્‍ અધિકારી અસકર અલીને આપેલો વધારાનો અખત્‍યાર

vartmanpravah

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે દમણ દાભેલની સ્‍વામી નારાયણ વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શનનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

નવસારી જિલ્લામાં મુખ્‍યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્‍કોલરશીપ યોજનામાં ધો.9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ શિષ્‍યવૃત્તિના લાભથી વંચિત

vartmanpravah

વલસાડ જિલ્લાના મુખ્ય રસ્તા, બિલ્ડિંગની આગળ-પાછળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી-એક્ઝિટ પર સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ અંતર્ગત સેવાકીય પખવાડીયુ ઉજવણીના આયોજન માટે ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનને તમામ મોરચાની બોલાવેલી બેઠક

vartmanpravah

રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્‍યક્ષ અંજના પવારે જિલ્લાના સફાઈ કર્મચારીઓની પરિસ્‍થિતિની સમીક્ષા કરી

vartmanpravah

Leave a Comment