Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વશીયરમાં મળસ્‍કે છોટા હાથી ટેમ્‍પો રસ્‍તા વચ્‍ચે બેઠેલ ગાયો ઉપર ફરી વળતા 3 ગાયના મોત

નિર્દોષ જાનવરો બેમોત મરી રહ્યા છે, તંત્ર ચુપ છે :
ટેમ્‍પો ચાલક અકસ્‍માતકરી ફરાર થઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વલસાડ વશીયરમાં રોડ ઉપર બેઠેલ ગાયોના ટોળા ઉપર મળસ્‍કે ત્રણથી ચાર વાગ્‍યાના સુમારે છોટા હાથી ટેમ્‍પો ફરી વળતા ત્રણ ગાયોના ઘટના સ્‍થળે મોત થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
વશીયર મધરમેરી સ્‍કૂલ સામે આજે મળસ્‍કે અજાણ્‍યો છોટા હાથી ટેમ્‍પો રોડ ઉપર બેઠેલ ગાયોના ટોળા ઉપર ફરી વળ્‍યો હતો. અકસ્‍માતમાં ત્રણ ગાયો મૃત્‍યુ પામી હતી. વશીયર ગામના સરપંચ પ્રકાશભાઈ પટેલ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. રસ્‍તા વચ્‍ચે પડેલી મૃત ગાયોને ખસેડી હતી. રખડતા ઢોરો સાથે અકસ્‍માત થતા રહે છે. તંત્ર મૌન છે. અકસ્‍માત સર્જી ટેમ્‍પો ચાલક ફરાર થઈ ગયો હતો પરંતુ ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ હતી.

Related posts

નાણામંત્રી કનુભાઈ દેસાઈની બજેટમાં જાહેરાત: વાપી-ઉમરગામમાં પુર્ણ સમયની લેબર કોર્ટ બનશે

vartmanpravah

ધરમપુરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે રૂા. 200 કરોડના ખર્ચે સાકાર થયેલી શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલનું વર્ચ્‍યુઅલી ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

વલસાડ નગરપાલિકા કર્મચારીની મોપેડને રખડતા ઢોરોએ ટક્કર મારી દેતા કર્મચારીનું ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

આ તે કેવી ભક્‍તિ ? ઉત્‍સવ પૂર્ણ થાય બાદ શ્રીજીની દુર્દશા : ચીખલીમાં ગણેશજીની દસ દિવસ પૂજા-અર્ચના તો કરી પરંતુ વિસર્જન યોગ્‍ય ન કર્યું

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ અને સક્ષમ માર્ગદર્શનમાં સંઘપ્રદેશ કોવિડ-19ના વેક્‍સીનેશન અભિયાનમાં અવ્‍વલ : દમણમાં ‘હર ઘર દસ્‍તક અભિયાન’ અંતર્ગત 250 કર્મચારીઓની 40 ટીમો કાર્યરત

vartmanpravah

નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરાયેલીઉજવણી

vartmanpravah

Leave a Comment