Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રેલવે સ્‍ટેશને મોડી રાતે ટ્રેન અડફેટમાં આવી જતા બે યુવાનોના ઘટના સ્‍થળે મોત

સુરતનો રિક્ષા ચાલક નંદકિશોર કેસના કામે વલસાડઆવેલ જ્‍યારે મોગરાવાડીનો યુવાન મિતેશ રાઠોડ પાટા ક્રોસ કરી રહ્યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ રેલવે સ્‍ટેશને સોમવારે મોડી રાતે બે કરૂણાંતિકા સર્જાઈ હતી. પાટા ક્રોસ કરતા બે યુવાનો ટ્રેન અડફેટમાં આવી જતા ઘટના સ્‍થળે જ બન્નેના કરુણ મોત નિપજ્‍યા હતા.
જી.આર.પી. સુત્રો મુજબ સુરત ગોડાદરામાં રહેતો 35 વર્ષિય રીક્ષા ચાલક નંદકિશોર મંડલ વલસાડ કોર્ટ કેસના કામ સારુ સુરતથી આવ્‍યો હતો. કામ પતાવી રાતે સુરત જવા નિકળેલ ત્‍યારે સ્‍ટેશન ઉપર પાટો ક્રોસ કરતા ટ્રેન અડફેટમાં આવી જતા તેનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે બીજા બનાવમાં વલસાડ મોગરાવાડી હિરા ફેક્‍ટરી પાસે રહેતો 35 વર્ષિય મિતેશ નરેશભાઈ રાઠોડ રાતે પાટો ક્રોસ કરતા વડોદરા વલસાડ ઈન્‍ટરસીટી ટ્રેનની અડફેટમાં આવી જતા તેનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. જી.આર.પી.એ 108 બોલાવીને બન્નેની ડેથબોડી વલસાડ સિવિલમાં પી.એમ. માટે મોકલી આપી હતી.

Related posts

ખુલ્લી શેરીઓ, સ્‍ટોર વોટર ડ્રેનેજ અથવા કુદરતી ગટરમાં ગટરનું નિકાલ કરવું એ દંડને પાત્ર ગુનો છે : એસએમસી

vartmanpravah

દાનહના બોન્‍તા ગામે શનિધામ ખાતે શનિ અમાવસ્‍યાની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકાના એકલારાના આંતરિક માર્ગ પર ઠલવાયેલો પ્રદૂષિત ઘન કચરો

vartmanpravah

ભારતરત્‍ન અટલબિહારી વાજપેયીજીની જન્‍મ જયંતી નિમિત્તે પારડીના સમાજસેવકે 104મી વખત રક્‍તદાન કર્યું

vartmanpravah

મહારાષ્‍ટ્રથી સુરત દારૂ ભરી જતો ટેમ્‍પો મોતીવાડા હાઈવેથી એલસીબીએ ઝડપ્‍યો

vartmanpravah

દાનહ કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ દ્વારા ભારત સ્‍કાઉટ ગાઈડના 73 સભ્‍યોને રાજ્‍યના સર્વોચ્‍ચ સન્‍માન રાજ્‍ય એવોર્ડથી સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment