Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં 1480 કલાકારો ઉત્‍સાહભેર ભાગ લીધો

કોમર્સ કોલેજ અને સંસ્‍કાર કેન્‍દ્રમાં 6 ભાગમાં કુલ 23 સ્‍પર્ધા યોજવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્‍કળતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અનેસાંસ્‍કળતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્‍કળતિક પ્રવૃતિઓની કચેરી, વલસાડ દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા કલા મહાકુંભ 2023-24નું તા.11 થી 12/01/2024 ના રોજ સંસ્‍કાર કેન્‍દ્ર તેમજ શાહ એન.એચ.કોમર્સ કોલેજ, વલસાડ ખાતે છ ભાગમાં ગાયન, નૃત્‍ય, વાદન, અભિનય, સાહિત્‍ય અને કલા વિભાગ ક્ષેત્રે ત્રણ વયજુથમાં કુલ 23 સ્‍પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લાના 1480 કલાકારોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
વલસાડ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી. બી. વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી એમ. જોષી, નુતન કેળવણી મંડળના ચેરમન સ્‍વાતીબેન, કેમ્‍પસ ડાયરેકટર ડૉ.નિર્મલ શર્મા, જોઈન્‍ટ સેક્રેટરી અનિલ શાહ, શાહ એન.એચ.કોમર્સ કોલેજના આચાર્ય ડૉ.ગીરીશકુમાર રાણા તેમજ શાહ એન.એચ.કોમર્સ કોલેજના પ્રો.મુકેશભાઈએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. જેમાં તાલુકા કક્ષા કલા મહાકુંભમાં વિજેતા થયેલા કલાકારો તેમજ સીધી જિલ્લાકક્ષાની સ્‍પર્ધામાં કલાકારોએ મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો. જિલ્લા કક્ષામાં પ્રથમ વિજેતા થયેલા કલાકારો દક્ષિણ ઝોન કક્ષામાં ભાગ લેવા જશે. જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા કલાકારોને રોકડ-પુરસ્‍કાર તેમજ પ્રમાણપત્રો આપવામાં આવશે.

Related posts

કેમિકલ લીકેજ અંગે વલસાડની અતુલ કંપનીમાં ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

લોકસભાની ચૂંટણી સંદર્ભે વાપીમાં પોલીસ અને આર.પી.એફ.ના જવાનોએ ફલેગ માર્ચ કરી

vartmanpravah

વાપી ચાર રસ્‍તા ઉપર થયેલ કરપીણ હત્‍યા કાંડ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

vartmanpravah

ઈન્‍દોર ખાતે ચાલી રહેલ રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ-3060ના ત્રિ-દિવસીય કોન્‍ફરન્‍સનું ભવ્‍ય સમાપન

vartmanpravah

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

vartmanpravah

આજે દમણમાં રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય ગુરૂદેવ શ્રીમદ્‌ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ તથા ગણિપ્રવર પ્રશાંતસાગરજી મહારાજ આદિ પૂજ્‍યોની પાવન પધરામણી અવસરે ભવ્‍ય સામૈયું યોજાશે

vartmanpravah

Leave a Comment