March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રેલવે સ્‍ટેશને મોડી રાતે ટ્રેન અડફેટમાં આવી જતા બે યુવાનોના ઘટના સ્‍થળે મોત

સુરતનો રિક્ષા ચાલક નંદકિશોર કેસના કામે વલસાડઆવેલ જ્‍યારે મોગરાવાડીનો યુવાન મિતેશ રાઠોડ પાટા ક્રોસ કરી રહ્યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ રેલવે સ્‍ટેશને સોમવારે મોડી રાતે બે કરૂણાંતિકા સર્જાઈ હતી. પાટા ક્રોસ કરતા બે યુવાનો ટ્રેન અડફેટમાં આવી જતા ઘટના સ્‍થળે જ બન્નેના કરુણ મોત નિપજ્‍યા હતા.
જી.આર.પી. સુત્રો મુજબ સુરત ગોડાદરામાં રહેતો 35 વર્ષિય રીક્ષા ચાલક નંદકિશોર મંડલ વલસાડ કોર્ટ કેસના કામ સારુ સુરતથી આવ્‍યો હતો. કામ પતાવી રાતે સુરત જવા નિકળેલ ત્‍યારે સ્‍ટેશન ઉપર પાટો ક્રોસ કરતા ટ્રેન અડફેટમાં આવી જતા તેનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે બીજા બનાવમાં વલસાડ મોગરાવાડી હિરા ફેક્‍ટરી પાસે રહેતો 35 વર્ષિય મિતેશ નરેશભાઈ રાઠોડ રાતે પાટો ક્રોસ કરતા વડોદરા વલસાડ ઈન્‍ટરસીટી ટ્રેનની અડફેટમાં આવી જતા તેનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. જી.આર.પી.એ 108 બોલાવીને બન્નેની ડેથબોડી વલસાડ સિવિલમાં પી.એમ. માટે મોકલી આપી હતી.

Related posts

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, ખાતે ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા” યોજાઈ

vartmanpravah

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની સાથે દમણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં પ્રત્‍યક્ષ જઈ પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ-રાબડા ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાશે 

vartmanpravah

વાપી વી.આઈ.એ. ગ્રાઉન્ડ ખાતે ૭પમા ગણતંત્ર દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

vartmanpravah

Leave a Comment