Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રેલવે સ્‍ટેશને મોડી રાતે ટ્રેન અડફેટમાં આવી જતા બે યુવાનોના ઘટના સ્‍થળે મોત

સુરતનો રિક્ષા ચાલક નંદકિશોર કેસના કામે વલસાડઆવેલ જ્‍યારે મોગરાવાડીનો યુવાન મિતેશ રાઠોડ પાટા ક્રોસ કરી રહ્યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ રેલવે સ્‍ટેશને સોમવારે મોડી રાતે બે કરૂણાંતિકા સર્જાઈ હતી. પાટા ક્રોસ કરતા બે યુવાનો ટ્રેન અડફેટમાં આવી જતા ઘટના સ્‍થળે જ બન્નેના કરુણ મોત નિપજ્‍યા હતા.
જી.આર.પી. સુત્રો મુજબ સુરત ગોડાદરામાં રહેતો 35 વર્ષિય રીક્ષા ચાલક નંદકિશોર મંડલ વલસાડ કોર્ટ કેસના કામ સારુ સુરતથી આવ્‍યો હતો. કામ પતાવી રાતે સુરત જવા નિકળેલ ત્‍યારે સ્‍ટેશન ઉપર પાટો ક્રોસ કરતા ટ્રેન અડફેટમાં આવી જતા તેનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે બીજા બનાવમાં વલસાડ મોગરાવાડી હિરા ફેક્‍ટરી પાસે રહેતો 35 વર્ષિય મિતેશ નરેશભાઈ રાઠોડ રાતે પાટો ક્રોસ કરતા વડોદરા વલસાડ ઈન્‍ટરસીટી ટ્રેનની અડફેટમાં આવી જતા તેનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. જી.આર.પી.એ 108 બોલાવીને બન્નેની ડેથબોડી વલસાડ સિવિલમાં પી.એમ. માટે મોકલી આપી હતી.

Related posts

દમણઃ આટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આયુષ્‍માન આરોગ્‍ય મેળાનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વાપીમાં પંડિત શ્‍યામજી કૃષ્‍ણા વર્માની પ્રતિમાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે અનાવરણ

vartmanpravah

રોટરી ક્‍લબ ભરૂચ દ્વારા દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે કોર્પોરેટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપીને દેશમાં પ્રથમ કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણી વ્‍યવસ્‍થાપન માટે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર મળ્‍યો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લદાખના સ્‍થાપના દિવસની આનંદ ઉત્‍સાહ અને સાંસ્‍કૃતિક વિરાસતના આદાન-પ્રદાનથી કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહમાં લાશ મળવાનો સિલસિલો અવિરત જારી: દાદરા નહેર કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી

vartmanpravah

Leave a Comment