Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામનું મેન્‍ડેડને અમલ કરાવવા તાલુકા સંગઠન પ્રમુખદિલીપ ભંડારીએ હાથ ધરેલી કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ તાલુકા પંચાયતના શાસનના બાકી રહેલા અઢી વર્ષ માટે આવતીકાલે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવાની છે. જેના માટે મળનારી સામાન્‍ય સભામાં ભાજપા શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત પાંચ મહત્‍વના હોદ્દા માટે પ્રદેશ પ્રમુખ તરફથી નામોનું મેન્‍ડેડ જાહેર કરવામાં આવ્‍યું છે અને આ મેન્‍ડેડને જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ અમલ કરાવવા માટે તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમને કામગીરી સોંપી છે. જે અંતર્ગત આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમે તાલુકા પંચાયતના સભ્‍યોની એક મિટિંગ બોલાવી મેન્‍ડેડની જાણકારી આપી હતી. અને તમામ સભ્‍યોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠક બાદ સભ્‍યોમાં રહેલી નારાજગી દૂર કરી સંગઠન અને પક્ષ મજબૂત બને એ રીતનું વાતાવરણ બનાવવામાં પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમને પૂરેપૂરી સફળતા મળી હોવાનું સભ્‍યમાં ચાલતી ચર્ચા અને વાતાવરણ ઉપરથી દૃશ્‍યમાન થતું હતું. મેન્‍ડેડ મુજબ આવતીકાલે મળનારી સામાન્‍ય સભામાં પ્રમુખ તરીકે શ્રીમતી લલીતાબેન ભરતભાઈ ધુમાડા, અને ઉપપ્રમુખ તરીકેશ્રી વિલાસભાઈ નવીનભાઈ ઠાકરીયા બિનહરીફ જાહેર થશે એવું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત કારોબારી અધ્‍યક્ષ તરીકે શ્રી મહેશભાઈ ગોવિંદભાઈ આહીર, પક્ષના નેતા તરીકે શ્રીમતી ધનીશાબેન જગદીશભાઈ કોળી અને દંડક તરીકે શ્રીમતી વર્ષાબેન મહેશભાઈ ધોડીના નામની મેન્‍ડેડ મુજબ જાહેરાત થશે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Related posts

વલસાડની 9 મહિલા સાહિત્‍યકારને નગર રત્‍નથી સન્‍માનિત કરી વિશ્વ મહિલા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

vartmanpravah

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયતે પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકની વસ્‍તુઓનું વેચાણ અને ઉપયોગ કરનારને ફટકારેલો દંડ

vartmanpravah

ચીખલીમાં સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલના સ્‍ટાફ ક્‍વાટર્સ જર્જરિત: તંત્ર દિવાલ પર માત્ર જાહેર ચેતવણી લખી સંતોષ માની રહ્યું છે

vartmanpravah

વલસાડના સાંસદ ધવલ પટેલએ દીપડાના હુમલાથી ઘાયલ થયેલ દુલસાડના દર્દીની સિવિલમાં મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment