August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામનું મેન્‍ડેડને અમલ કરાવવા તાલુકા સંગઠન પ્રમુખદિલીપ ભંડારીએ હાથ ધરેલી કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ તાલુકા પંચાયતના શાસનના બાકી રહેલા અઢી વર્ષ માટે આવતીકાલે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવાની છે. જેના માટે મળનારી સામાન્‍ય સભામાં ભાજપા શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત પાંચ મહત્‍વના હોદ્દા માટે પ્રદેશ પ્રમુખ તરફથી નામોનું મેન્‍ડેડ જાહેર કરવામાં આવ્‍યું છે અને આ મેન્‍ડેડને જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ અમલ કરાવવા માટે તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમને કામગીરી સોંપી છે. જે અંતર્ગત આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમે તાલુકા પંચાયતના સભ્‍યોની એક મિટિંગ બોલાવી મેન્‍ડેડની જાણકારી આપી હતી. અને તમામ સભ્‍યોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠક બાદ સભ્‍યોમાં રહેલી નારાજગી દૂર કરી સંગઠન અને પક્ષ મજબૂત બને એ રીતનું વાતાવરણ બનાવવામાં પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમને પૂરેપૂરી સફળતા મળી હોવાનું સભ્‍યમાં ચાલતી ચર્ચા અને વાતાવરણ ઉપરથી દૃશ્‍યમાન થતું હતું. મેન્‍ડેડ મુજબ આવતીકાલે મળનારી સામાન્‍ય સભામાં પ્રમુખ તરીકે શ્રીમતી લલીતાબેન ભરતભાઈ ધુમાડા, અને ઉપપ્રમુખ તરીકેશ્રી વિલાસભાઈ નવીનભાઈ ઠાકરીયા બિનહરીફ જાહેર થશે એવું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત કારોબારી અધ્‍યક્ષ તરીકે શ્રી મહેશભાઈ ગોવિંદભાઈ આહીર, પક્ષના નેતા તરીકે શ્રીમતી ધનીશાબેન જગદીશભાઈ કોળી અને દંડક તરીકે શ્રીમતી વર્ષાબેન મહેશભાઈ ધોડીના નામની મેન્‍ડેડ મુજબ જાહેરાત થશે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Related posts

ઈડલીના ખીરા જેવું કારકિર્દીનું ઘડતર કરવા મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક વ્રજ પટેલની વિદ્યાર્થીઓને સલાહ

vartmanpravah

દમણ ન.પા.ના ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ નવરાત્રિના નવમા દિવસે કથિરિયા આંગણવાડી ખાતે કરેલું કન્‍યા પૂજન

vartmanpravah

સાસરેથી પરત ઘરે જતી વખતે ચીખલી-વાંસદા માર્ગ ઉપર સ્‍કૂલ બસ સાથે અકસ્‍માત બાદ ટાયર ફરી વળતા યુવકનું સ્‍થળ ઉપર જ મોત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

દાદરાની સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓની પગાર વધારા મુદ્દે હડતાલ

vartmanpravah

દાનહમાં 01 અને દમણમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નહી નોંધાયો

vartmanpravah

Leave a Comment