December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામનું મેન્‍ડેડને અમલ કરાવવા તાલુકા સંગઠન પ્રમુખદિલીપ ભંડારીએ હાથ ધરેલી કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ તાલુકા પંચાયતના શાસનના બાકી રહેલા અઢી વર્ષ માટે આવતીકાલે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવાની છે. જેના માટે મળનારી સામાન્‍ય સભામાં ભાજપા શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત પાંચ મહત્‍વના હોદ્દા માટે પ્રદેશ પ્રમુખ તરફથી નામોનું મેન્‍ડેડ જાહેર કરવામાં આવ્‍યું છે અને આ મેન્‍ડેડને જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ અમલ કરાવવા માટે તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમને કામગીરી સોંપી છે. જે અંતર્ગત આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમે તાલુકા પંચાયતના સભ્‍યોની એક મિટિંગ બોલાવી મેન્‍ડેડની જાણકારી આપી હતી. અને તમામ સભ્‍યોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠક બાદ સભ્‍યોમાં રહેલી નારાજગી દૂર કરી સંગઠન અને પક્ષ મજબૂત બને એ રીતનું વાતાવરણ બનાવવામાં પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી અને એમની ટીમને પૂરેપૂરી સફળતા મળી હોવાનું સભ્‍યમાં ચાલતી ચર્ચા અને વાતાવરણ ઉપરથી દૃશ્‍યમાન થતું હતું. મેન્‍ડેડ મુજબ આવતીકાલે મળનારી સામાન્‍ય સભામાં પ્રમુખ તરીકે શ્રીમતી લલીતાબેન ભરતભાઈ ધુમાડા, અને ઉપપ્રમુખ તરીકેશ્રી વિલાસભાઈ નવીનભાઈ ઠાકરીયા બિનહરીફ જાહેર થશે એવું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત કારોબારી અધ્‍યક્ષ તરીકે શ્રી મહેશભાઈ ગોવિંદભાઈ આહીર, પક્ષના નેતા તરીકે શ્રીમતી ધનીશાબેન જગદીશભાઈ કોળી અને દંડક તરીકે શ્રીમતી વર્ષાબેન મહેશભાઈ ધોડીના નામની મેન્‍ડેડ મુજબ જાહેરાત થશે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Related posts

વલસાડમાં હિટ એન્‍ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ એનાયત કરાયા

vartmanpravah

વાપી પાલિકાની સામાન્‍યસભામાં રૂા.3.56 કરોડની પુરાંતવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લોકસભા ચૂંટણી સંદર્ભેદારૂબંધીની જાહેરાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ OIDC દ્વારા વેલુગામમાં વિકસાવવામાં આવી રહેલ નવા ઉદ્યોગો માટેના પ્‍લોટની ફાળવણી હેતુ ઉદ્યોગપતિઓ સાથે ઉદ્યોગ સચિવ ગૌરવસિંહ રાજાવતે કરેલી સલાહ-મસલત

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના નાણાં સચિવ અને દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહના દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રા.પં.ની આંગણવાડીઓમાં કુપોષિત બાળકોની માતાઓને આપેલું માર્ગદર્શન

vartmanpravah

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન યોજાયું

vartmanpravah

Leave a Comment