March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખખડધજ રસ્‍તાઓ તરફ ધ્‍યાન દોરવા મામલતદારને આપેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ તાલુકામાં તમામ માર્ગોની હાલત દયનીય છે. વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા છે પરંતુ જવાબદાર વિભાગની બેદરકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નેવે મૂકેલી શરમના કારણે માર્ગોનું સમારકામ કરવામાં આવતું નથી. જેના કારણે અકસ્‍માત તેમજ ટ્રાફિક સમસ્‍યા વગેરેનો સામનો કરવો પડી રહ્યો છે. આજરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી દિનેશભાઈ ભાણાભાઈ પટેલ, માજી સાંસદ શ્રી કિશનભાઇ વેસ્‍તાભાઇ પટેલ અને ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી ફુલજીભાઈ પટેલ અને એમની કાર્યકર્તાઓની ટીમે ઉમરગામ મામલતદાર કચેરીએ રસ્‍તાના સમારકામ તાત્‍કાલિક અસરથી કરવામાં આવે એ ધ્‍યાન દોરવા માટે આવેદનપત્ર આપ્‍યું હતું. આ પ્રસંગે અધિકારી સમક્ષ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, માજી સાંસદ શ્રી કિશનભાઇ પટેલ અને ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી ફુલજીભાઈએ ઉમરગામ તાલુકાના ખખડધજ બનેલા રસ્‍તાઓનો ચિતાર રજૂ કર્યો હતો અને જેના કારણે વેઠવા પડી રહેલી અકસ્‍માત સહિતની હાડમારીની વેદના ઠાલવી તાત્‍કાલિક અસરથી રસ્‍તાઓનું સમારકામ ચાલુ કરવામાં આવે એવી વિનંતી કરી હતી.

Related posts

શ્રી સરદાર પટેલ યુવા મંડળ વાપી દ્વારા નૂતન નગરમાં બનાવેલ ગાર્ડનનું નામકરણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકવા બાબતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરાઈ

vartmanpravah

સમસ્‍ત હિન્‍દુ સંગઠન (અખંડ ભારત) દ્વારા લવાછાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે 1 લાખ 11 હજાર 111 દીવડાંઓ પ્રગટાવી દેવ દિવાળીની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં પુસ્તક પરબમાંથી ૧૦૮ પુસ્તકોને વાચકો મળ્યા

vartmanpravah

દાનહમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી પડયોઃ મધુબન ડેમમાંથી 21327 ક્‍યુસેક પાણી છોડાયું

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ બહાર નિકળતી તમામ ચેકપોસ્‍ટ ઉપર 31 ડિસેમ્‍બરને લઈ રાતભર પોલીસ ચેકીંગ ચાલુ રહ્યું

vartmanpravah

Leave a Comment